________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૫ ]
[ ૩૭ કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી-નવો કર્મબંધ થતો નથી. જુઓ, આ ભગવાનની, સંતોની વાણી છે.
-આ પ્રમાણે સમ્યજ્ઞાનનું સામર્થ્ય કહ્યું. સમ્યજ્ઞાન કહેતાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું જ્ઞાન. જે પર્યાયમાં પરિપૂર્ણ આખી ચીજનું જ્ઞાન આવે છે તેને સમ્યજ્ઞાન અર્થાત્ સત્-જ્ઞાન કહે છે અને આ જ્ઞાનનું એવું પરમ અદભુત સામર્થ્ય છે કે રાગને ભોગવતો છતો જ્ઞાની, તેનાં રસ-રુચિ નહિ હોવાથી, બંધાતો નથી.
[ પ્રવચન નં. ર૬૫ (શેષ), ર૬૬
*
દિનાંક ૧૮-૧૨-૭૬ અને ૧૯-૧૨-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com