________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૩
जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्वो।। २३३।।
यः सिद्धभक्तियुक्त: उपगूहनकस्तु सर्वधर्माणाम्।
स उपगूहनकारी सम्यग्दृष्टितिव्यः ।। २३३ ।। હવે ઉપગૂઠન ગુણની ગાથા કહે છે:
જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મનો,
ચિખૂર્તિ તે ઉપગૃહનકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૩. ગાથાર્થ- [ :] જે (ચેતયિતા) [ સિદ્ધમ$િયુp:] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે [1] અને [સર્વધMI ૩૫૧દન: ] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે ( અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [+: ] તે [૩પ૧૬નારી] ઉપગૃહનકારી [ સચદfe:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૂઠન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો પર દષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.
આ ગુણનું બીજું નામ “ઉપવૃંહણ” પણ છે. ઉપબૃષ્ણ એટલે વધારવું તે. સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિ વધે છે–આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપભ્રંહણગુણવાળો છે.
આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉધમ વર્તે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com