________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩ર ]
[ ૫૦૯ મુનિ ભગવંતોએ ગાગરમાં જાણે સાગર ભરી દીધો છે! અહા ! પંચમ આરાના સાધુ...! પણ સાધુ છે તેમાં આરો છે કયાં?
કહે છે-“તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.' અહા ! સમકિતીને પરને કારણે નહિ પણ પોતાની કમજોરીવશ જરા અસ્થિરતા આવી છે પણ તે ખરી જાય છે. જ્ઞાની તેના જ્ઞાતા-દષ્ટા જ રહે છે. આનું નામ સમ્યગ્દષ્ટિ અને આને નિર્જરા કહેવામાં આવે છે.
[ પ્રવચન નં. ૩૦૪ (શેષ)
*
દિનાંક ૨૮-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com