________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
‘આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ ૨સ આપીને ખરી જાય છે.’
શંકાની વ્યાખ્યા નિયમસારમાં કરી છે ને? ત્યાં આપ્તની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે-‘આપ્ત એટલે શંકા રહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો).' શંકાની આ વ્યાખ્યા કરી છે. અહા! ભગવાન આપ્ત-પરમેશ્વર શંકારહિત એટલે કે સકળ મોહરાગદ્વેષાદિ રહિત હોય છે. અહીં કહે છે-જ્ઞાની શંકારહિત નિઃશંક છે. દષ્ટિ નિઃશંક છે ને! તેથી તેને શંકા કરનારા મોદિ ભાવોનો અભાવ છે. માટે શંકાકૃત બંધ તેને નથી, પરંતુ નિર્જરા જ છે; કર્મ ઉદયમાં આવીને-દેખાવ દઈને -ખરી જાય છે. અહા ! કર્મ પ્રગટ થઈને ચાલ્યું જાય છે, ખલાસ થઈ જાય છે. લ્યો, આવી વાત છે. આ પહેલી ગાથા (નિઃશંક્તિ ગુણની) પૂરી થઈ.
[પ્રવચન નં. ૩૦૨ (શેષ )
*
દિનાંક ૨૫-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com