SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૨૯ जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्यो।। २२९ ।। यश्चतुरोऽपि पादान छिनत्ति तान कर्मबन्धमोहकरान्। स निश्शङ्कश्चेतयिता सम्यग्दृष्टितिव्यः।। २२९ ।। હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા | નિઃશંકિત ગુણની ચિહની) ગાથા કહે છે: જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૨૯. ગાથાર્થ - [ : વેતચિતા] જે *ચેતયિતા, [ ર્મવશ્વનોદરાન] કર્મબંધ સંબંધી મોહ કરનારા ( અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [ તીન વંતુર: પિ પીવાન] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [ છિનત્તિ] છેદે છે, [ :] તે [નિરી:] નિઃશંક [સભ્ય દષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો. ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનાર (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ- સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે. સમયસાર ગાથા ૨૨૯ : મથાળ હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે. તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા નિઃશંકિત ગુણની-ચિન્હની) ગાથા કહે છે * ગાથા ર૨૯ : ટીકા ઉપરનું પ્રવચન * “કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક શાયકભાવમયપણાને લીધે...” * ચેતયિતા = ચેતનાર; જાણનાર-દેખનાર; આત્મા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy