________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ દષ્ટિનો વિષય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. અતીન્દ્રિય આનંદનો ભોગવટો ભલે પર્યાયમાં થાય. પણ તે પર્યાય દષ્ટિનો વિષય નથી. દષ્ટિનો વિષય તો અવિકારી રસનો કંદ ચૈતન્યમૂર્તિ નિત્યાનંદ ચિદાનંદકંદ પ્રભુ આત્મા છે, અને તેના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે, કેમકે વસ્તુ તો અંદર પરિપૂર્ણ છે. જ્ઞાની શરીરને ભોગવતો નથી, રાગને ભોગવતો નથી અને અલ્પજ્ઞતાને પણ ભોગવતો નથી. એની દષ્ટિ પૂર્ણ પર છે ને તે પૂર્ણને ભોગવે છે. અહા ! ભોગવાય છે અલ્પજ્ઞમાં (પર્યાયમાં), પણ ભોગવે છે સર્વસ્વને-પૂર્ણને. આવો મારગ ભાઈ ! જન્મ-મરણ રહિત થવાનો પંથ આવો અદભુત આશ્ચર્યકારી છે.
હવે કહે છે-“પૂર્વોપાત્ત' પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું ત–અનુભવત:' તેના ઉદયને ભોગવતાં તેને નિશ્ચિત' નિયમથી ‘નિર્નર છવ' તે કર્મની નિર્જરા જ થાય છે.
ઉદયને ભોગવતાં” એમ કહ્યું ને? મતલબ કે ઉદયમાં જરી લક્ષ જાય છે પણ તે ખરી જાય છે, બંધ પમાડતું નથી. અહા ! “ધિંગ ધણી માથે ડ્યિો....' પછી શું છે? અર્થાત્ ચૈતન્યમહાપ્રભુ-પૂર્ણ સત્તાનું સત્ત્વ-જેણે દૃષ્ટિમાં લીધું, અનુભવમાં લીધું તેને નવાં કર્મબંધન થાય નહિ અને જાનાં કર્મ હોય તે ખરી જાય છે. લ્યો, આવી વાત!
પ્રશ્ન:- ફળ આપ્યા વિના ખરી જાય?
ઉત્તર:- હા, તે ફળ આપ્યા વિના ખરી જાય છે. ઉદય છે તે નિર્જરા થઈ જાય છે. અને કર્મ તો શું છે? એ તો જડ છે; પણ પર્યાયમાં જે દુ:ખનું ફળ આવતું હતું તે, આનંદ તરફનો આશ્રય છે તેથી, આવતું નથી. અહા ! આવો મારગ બાપા! ૮૪ ના જન્મસમુદ્રમાંથી તરવાનો ઉપાય આ એક જ છે. એના વિના તો ૮૪ના ચક્રાવાના દુઃખ જ
* કળશ ૧૬૧ : ભાવાર્થ * “સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રવૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. અહીં “ગુણ' શબ્દ પર્યાય છે એમ સમજવું.
[ પ્રવચન નં. ૨૯૮ થી ૩૦૨ (ચાલુ) *
દિનાંક ૨૧-૧૭૭ થી ૨૫-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com