________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભોગવે છે, વિકારને જ ભોગવે છે. અહા! તે વિકારને ભોગવે છે તે દુઃખ છે, અધર્મ છે, કેમકે તે સ્વભાવ નથી. જ્યારે જ્ઞાનીની દષ્ટિ નિત્યાનંદ અચળ એક ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવ પર રહેલી છે. તેથી (તે દષ્ટિના કારણે ) તે પોતાનું સર્વસ્વ જે એક જ્ઞાનાનંદ સ્વભાવ તેને ભોગવે છે.
અહા! મારા સ્વરૂપમાં અલ્પજ્ઞતા નહિ, વિકાર નહિ અને નિમિત્ત પણ નહિ એવો હું નિજરસથી ભરેલો જ્ઞાનાનંદ-સ્વભાવી આત્મા છું. અહા! દષ્ટિમાં આવા આત્માનો જેને સ્વીકાર થયો છે તે ધર્માત્મા છે, જ્ઞાની છે. તે જ્ઞાનીને કહે છે, નિઃશંક્તિ આદિ આઠ ગુણો પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. લ્યો, આ અશુદ્ધતા અને કર્મ કેમ હણાય છે એ કહે છે કે પોતાના પરમ શુદ્ધ પૂર્ણાનંદ સ્વરૂપને ભોગવતા જ્ઞાનીને જે નિઃશંક્તિ આદિ ગુણો પ્રગટે છે તે સર્વ કર્મનો નાશ કરી દે છે, અશુદ્ધતાને મિટાવી દે છે. હવે કહે છે
‘ત' માટે, ‘શ્મિન' કર્મનો ઉદય વર્તતાં છતાં, ‘ત' સમ્યગ્દષ્ટિને “પુન:' ફરીને ‘શર્મા: વન્ય:' કર્મનો બંધ ‘મના પિ' જરા પણ નાસ્તિ' થતો નથી.
કર્મનો બંધ જરા પણ થતો નથી એમ કહે છે. અહા! પોતાનું સર્વસ્વ પોતાનો જે અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવ તેને ભોગવતો જ્ઞાની નિઃશંક્તિ આદિ પ્રગટ આઠ ગુણ (પર્યાય ) વડે કર્મને હણે છે. તેથી, કર્મનો ઉદય વર્તતા છતાં, તેને ફરીને જરા પણ કર્મબંધ થતો નથી. જાઓ આ સમકિતીની વિશેષ દશા !
અહીં જ્ઞાનીને કિંચિત અલ્પ બંધ થાય છે તેની ગણતરી ગણી નથી. અહા ! વીતરાગસ્વરૂપી-જ્ઞાનાનંદસ્વરૂપી અભેદ એક આત્માની જ્યાં દષ્ટિ ને અનુભવ થયાં
ત્યાં ધર્મીને કર્મનો ઉદય વર્તતા છતાં, તેને બંધ નથી, કેમ? કેમકે તેને ઉદયનું વેદન નથી, પણ તેને તો એક આત્માના આનંદનું વેદન છે. અહાહા..! જ્ઞાનીને તો એક જ્ઞાતા-દષ્ટાસ્વભાવનું વેદન છે, રાગનું વદન તેને છે નહિ; માટે તેને નવાં કર્મ બંધાતાં નથી એમ કહે છે. આવો મારગ પામ્યા વિના જીવ અનંતકાળમાં ૮૪ ના અવતારમાં દુઃખી થયો છે.
જાઓને! આ દેહ તો ક્ષણભંગુર છે. ઘડીકમાં એનું શુંય થઈ જાય (નાશ પામી જાય ). ભાઈ ! આ તો ઉપર ચામડીથી મઢેલો હાડકાંનો માળો છે. તેની તો ક્ષણમાં રાખ થઈ જશે કેમકે એ તો રાખ થવાયોગ્ય નાશવંત છે. પણ અંદર ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ અવિનાશી છે. જ્ઞાની તેને જાણે છે, અનુભવે છે. અહીં કર્યું છે–ભગવાન આત્માના આનંદને ભોગવતો જ્ઞાની, તેને કર્મનો ઉદય વર્તતો હોવા છતાં, નવીન કર્મબંધને પામતો
નથી.
પ્રશ્ન- તો શું દુઃખનું વેદન જ્ઞાનીને સર્વથા નથી?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com