________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૭૧ “ચક્રવર્તીકી સંપદા અરુ ઇન્દ્ર સરિખા ભોગ,
કાગવિ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.” અહા! દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. દ્રવ્યદૃષ્ટિવંતને ચક્રવર્તીની સંપત્તિ ને ઇન્દ્રના ભોગ કાગડાની વિષ્ટા જેવા તુચ્છ ભાસે છે.
અહા ! એમ પણ બને કે સમ્યગ્દષ્ટિ હોય ને એને ચક્રવર્તી આદિ સંપદા હોય. આવે છે ને કે-“ભરત ઘરમેં વૈરાગી.' ભરત સમકિતી હતા ને ચક્રવર્તી પણ. પણ અંદર આત્માના આનંદનો અનુભવ આગળ ચક્રવર્તીપદ તુચ્છ ભાસતું હતું; બહારના વૈભવ પ્રતિ તેઓ ઉદાસીન હતા. ત્યારે તો કહ્યું કે-“ભરત ઘરમેં વૈરાગી.' જુઓ, પહેલા સૌધર્મ સ્વર્ગનો ઇન્દ્ર સમકિતી એકભવતારી છે. તેની પત્ની શચી પણ એકભવતારી છે. તે ઇન્દ્ર સૌધર્મ દેવલોકના ૩ર લાખ વિમાનનો સ્વામી છે. પણ એ બધા બહારના ભોગ-વૈભવને “કાગવિટ સમ ગિનત હૈ ”-કાગડાની વિષ્ટા સમાન જાણે છે. બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ! સમ્યગ્દષ્ટિ અંદરમાં સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે અને વિના સમ્યગ્દર્શન બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
* કળશ ૧૬): ભાવાર્થ ઉપરનું પ્રવચન * “કોઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?—એવો ભય રહે તે આકસ્મિક ભય છે.'
અણધાર્યું એટલે નહિ ધારેલું ઓચિંતું. કોઈ ઓચિંતુ અનિષ્ટ એકાએક આવી પડશે એવો અજ્ઞાનીને સદા ભય હોય છે. તે આકસ્મિક ભય છે.
જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ એક છે.'
અહાહા....! સમકિતીને તો અંદર પ્રતીતિ થઈ છે કે-હું અંદર સદા સિદ્ધ સમાન ભગવાન આત્મા છું, સદા અચળ એક ચૈતન્યરૂપ છું. સમયસાર નાટકમાં આવે છે ને કે
“ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેરી,
મોહ મહાતમ આતમ અંગ, કિયૌ પરસંગ મહા તપ ઘેરૌ..” અહા ! મારી ચીજ સદા સિદ્ધ સમાન અનુપમ બીન મૂરત ચિનૂરત છે. છતાં મેં પરમાં મોડું કરીને તેને રાગમાં ઘેરી લીધી છે. અહા ! આત્મા ભગવાન પ્રભુ રાગમાં ઘેરાઈ ગયો છે, આકુળતામાં ઘેરાઈ ગયો છે. અહા! બનારસીદાસજી વિશેષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com