________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૮ ]
થન રત્નાકર ભાગ-૭ ધર્મનું પહેલું પગથિયું જે ચોથું ગુણસ્થાન તેમાં ધર્મી પોતાના આત્માને આવો જુએ છે. આવા ધર્મીને કાંઈ આકસ્મિક થઈ જશે એવો ભય કયાંથી હોય? ન હોય. તે તો
“સ: સ્વયં સતત નિરશં: સદનું જ્ઞાનં સવા વિન્ધતિ' તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
અહા! તે તો એટલે સમ્યગ્દષ્ટિ તો પર્યાયમાં પોતે પોતાથી નિરાકુળ આનંદનો અનુભવ કરે છે. સ્વયં નામ પોતે પોતાથી છે તો પર્યાયમાં પણ પોતે પોતાથી પોતાના આનંદનો અનુભવ કરે છે. ઝીણી વાત છે ભાઈ ! ચીજ મૂળ અંદર સૂક્ષ્મ છે ને? જુઓને? છ૭ઢાલામાં શું કહ્યું? કે
“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાય,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાય.” ભાઈ ! આત્મજ્ઞાન શું ચીજ છે એની એને ખબર નથી. અનંતકાળમાં અને ગ્રીવક સુદ્ધાં બધું મળ્યું પણ આત્મજ્ઞાન મળ્યું નથી. અહીં કહે છે કે જેને આત્મજ્ઞાન મળ્યું તે ધર્મી પુરુષ તો સ્વયં નિરંતર નિઃશંક વર્તતો થકો સહુજ જ્ઞાનનો-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનો-સદા અનુભવ કરે છે. અહા ! આવી વાત બીજે કયાંય છે નહિ. ભાઈ ! આ તો ભગવાનનો મારગ બાપા ! આ તો શૂરાનો મારગ ભાઈ ! કહ્યું નથી કે
હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો.” બાપુ! સાંભળીને જેનાં કાળજાં કંપી ઉઠે તે કાયરનાં આ કામ નહિ. આનંદકંદ પ્રભુ આત્માનાં દષ્ટિ, જ્ઞાન ને રમણતા-એ શૂરાનું કામ છે, એ કાયરનાં-પાવૈયાનાં કામ નથી. સમજાણું કાંઈ....?
ભાઈ ! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ને કર્મ ઇત્યાદિ તો જડ ધૂળ-માટી છે. એની સાથે તો આત્માને કોઈ સંબંધ છે નહિ. સ્વસ્વરૂપની અસ્તિમાં તે સર્વની નાસ્તિ છે; અને તે બધામાં પોતાની એટલે સ્વસ્વરૂપની નાસ્તિ છે. વળી પુણ્ય-પાપના ભાવની પણ સ્વસ્વરૂપમાં નાસ્તિ છે. આવા સ્વસ્વરૂપનો-સહજ એક જ્ઞાયકભાવનો ધર્મી જીવ સદા અનુભવ કરે છે, કદીક રાગનો-દુ:ખનો અનુભવ કરે છે એમ નહિ. અહા ! ધર્મી જીવ નરકમાં હો તોપણ સહજ એક જ્ઞાનાનંદસ્વરૂપનો જ અનુભવ કરે છે એમ કહે છે. ઝીણી વાત ભાઈ ! એ તો ભજનમાં આવે છે ને કે
ચિમૂરત દગધારીકી મોહિ રીતિ લગત હૈ અટાપટી,
બાહર નારકી દુઃખ ભોગે અંતર સુખરસ ગટગટી.” અહા! જેની ચિમૂર્તિ પ્રભુ આત્મામાં દષ્ટિ થઈ છે તેની રીત અટપટી જણાય છે. બહાર તે નરકનું દુઃખ ભોગવતો દેખાય છે જ્યારે અંતરમાં તેને સુખની ગટાગટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com