________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૫૩ તેમ પર્યાયમાં કર્તા, કર્મ, કારણ આદિ એક સમયમાં છયે કારકો છે. અહા ! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે બાપા! જેને તે (સ્વાનુભવમાં) પ્રાપ્ત થયું તેને ભવ રહે નહિ.
‘જ્ઞાનન: અન્ય જ્ઞાતિ–વેના ઈવ દિ ન gવ ભવેત્' જ્ઞાનીને બીજી કોઈ આવેલી (-પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી.
શું કીધું એ? કે જ્ઞાનીને રાગનું વદન હોતું નથી. કેમકે રાગ છે એ તો બહારનો આગંતુક ભાવ છે; મૂળ ભાવ નથી, પણ મહેમાનની જેમ આવેલો ભાવ છે. ‘મીતિવેવના' કીધી છે ને? જ્ઞાનીને બીજી કોઈ આવેલી–પુદ્ગલોથી થયેલી-વેદના હોતી જ નથી. અહા ! શું કળશ ! ને શું ભાવ!
પ્રશ્ન- તો શું જ્ઞાનીને બહારના વેદનની પીડા ન હોય?
ઉત્તર:- ના, ન હોય. જ્ઞાનીને બીજું વેદન કેવું? અહીં તો એક મુખ્ય લેવું છે ને ? તો કહ્યું કે જ્ઞાનીને બીજી બહારની આવેલી વેદના નથી. એ તો સ્વભાવની દષ્ટિમાં જે રાગનું વેદન છે તેને ગૌણ કરીને કહ્યું છે. બાકી દષ્ટિની સાથે જે જ્ઞાન વિકસ્યું છે તે જેટલો રાગ છે તેટલું તેનું વેદન છે એમ યથાર્થ જાણે છે. પણ સ્વભાવની દષ્ટિમાં તે ગૌણ છે. તો કહ્યું કે જ્ઞાનીને આગંતુક વેદના-બહારથી આવેલી રાગાદિની વેદના-હોતી નથી; એક જ્ઞાનની-નિરાકુલ આનંદની જ વેદના તેને છે.
જ્ઞાનીને જે અસ્થિરતાનો રાગ આવે તેનો તે જ્ઞાતા જ છે; તેનો તે કરનારો કે વેદનારો નથી. ઝીણી વાત છે પ્રભુ ! અહાહા...! “હું આનંદ જ છું” એમ જ્ઞાની જાણે છે અને જે વિકલ્પ આવે તેનો પણ જાણનાર જ છે. જાઓ, શત્રુંજય પર ધર્મરાજા, ભીમ, અર્જુન, સહદેવ ને નકુળ અંતર આનંદમાં ઝૂલે છે. ત્યારે તેમને શરીર ઉપર લોઢાનાં ધગધગતાં મુગટ આદિ આભૂષણ પહેરાવ્યાં. અહા! એવા કાળે ભગવાનની હયાતી હતી તેવા કાળ-શત્રુંજય જેવા તીર્થ પર મુનિદશામાં ઝૂલતા મુનિવરો ઉપર આવો ઉપસર્ગ કરનારા નીકળ્યા ! છતાં મુનિવરો તો અંદર આનંદની રમતમાં હતા; તેમને અસાતાનું-ખેદનું વેદન ન હતું. ત્યાં સહદેવ ને નકુળને વિકલ્પ આવ્યો કેઅરે ! મહામુનિવરોને કેમ હશે? આ તો અસ્થિરતાનો વિકલ્પ આવ્યો પણ તેના તે જાણનાર જ હતા, બાકી વેદન તો અંતરમાં નિર્મળ જ્ઞાનાનંદનું જ હતું. લ્યો, આવી વાત !
અહીં કહે છે-જ્ઞાનીને બીજી કોઈ આવેલી–આગંતુક વિભાવની–વેદના હોતી નથી, તેથી ‘ત–મી: 1:' તેને વેદનાનો ભય કયાંથી હોય? ‘સ: સ્વયં સતત નિરશં: સનું જ્ઞાન સવા વિન્ધતિ' તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. જુઓ, અહીં રાગનું વેદન ગયું નથી. જોકે તેને કિંચિત્ રાગનું વેદન છે પણ દષ્ટિ અને દષ્ટિના વિષયની મુખ્યતામાં રાગનું વેદન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com