________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
-
શું કહે છે? કે અભેદસ્વરૂપ વર્તતા વેધ-વેદકના બળથી ‘યત્ પુ ં અવલં જ્ઞાનં સ્વયં અનાતૈ: સવા વેદ્યતે' એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (– જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે ‘yષા ા yવ હિ વેવના' તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે.
જુઓ, એક અચળ જ્ઞાન જ સદા વેદાય છે–એમ કહ્યું ને! ત્યાં અચળ તો ત્રિકાળી છે. (તે કાંઈ વેદાતું નથી. પણ અચળ જ્ઞાન ઉપર દષ્ટિ છે ને? માટે અચળ વેદાય છે એમ કહ્યું છે; બાકી વેદાય છે એ તો પર્યાય છે. આ તો મંત્રો બાપા! મોહનિદ્રામાંથી જગાડનારા આ મહા મંત્રો છે. જાગ રે જાગ ભાઈ! આવાં ટાણાં આવ્યાં ત્યારે સૂવું ન પાલવે નાથ ! અહા! ભગવાન છો ને પ્રભુ! તું ? આ બહા૨નીરાગની ને સંયોગની-ધૂળની-મહિમામાં તું ભીંસાઈ ગયો ને પ્રભુ! ત્યાંથી હઠી જા, ને આ અચળ એક જ્ઞાન જ તારું સ્વરૂપ છે તેનો અભેદપણે અનુભવ કર.
અહીં કહે છે–‘એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે...' જોયું ? જ્ઞાન ને આનંદ-બેય નાખ્યા. ‘એક અચળ જ્ઞાન જ' અર્થાત્ રાગ નહિ, પુણ્ય નહિ વિકલ્પ પણ નહિ પણ એક જ્ઞાન જ વેદાય છે. વળી ‘સ્વયં નિરાકુળ પુરુષો વડે ' એટલે કે જેમણે રાગના અભાવપૂર્વક નિરાકુળ આનંદનો અનુભવ કર્યો છે તેવા પુરુષો વડે જ્ઞાન ને આનંદ જ વેદાય છે. ભગવાન આત્મા અચળ એક જ્ઞાનાનંદનું ધ્રુવ બિંબ પ્રભુ છે. એનો જેને આશ્રય વર્તે છે તે જ્ઞાનીઓ નિરાકુળ પુરુષો છે અને તેઓ વડે એક જ્ઞાન જ સદા વેદાય છે અર્થાત્ તેઓને આત્માનાં એક જ્ઞાન આનંદનું જ વેદન હોય છે.
‘ષા ળા વ વેવના' તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે. ‘પ્રજ્ઞા ’–એમ કહ્યું ને? એટલે આ પ્રત્યક્ષ જે આત્માના નિરાકુળ આનંદનું વેદન છે તે એક જ વેદન જ્ઞાનીઓને છે, પણ રાગનું વેદન છે એમ નહિ. અહીં ! મારગ બાપુ! વીતરાગનો બહુ ઝીણો છે. બહારની પ્રવૃત્તિથી મળી જાય એવો આ મારગ નથી, બહારની પ્રવૃત્તિ તો વિભાવ છે અને તે તેના (-જીવના) સ્વભાવમાં નથી; પછી એનાથી સ્વભાવની પ્રાપ્તિ કેમ થાય ? અહા ! આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે, પણ તેમાં એકેય ગુણ એવો નથી જે વિકારને કરે. પર્યાયમાં યોગ્યતાને લઈને વિકાર ભલે થાય, પણ આત્માનો ગુણસ્વભાવ એવો નથી કે વિકારને કરે ને વિકારને વેદે. તેથી અભેદપણે વર્તતા વેધ-વૈદકના બળથી જ્ઞાનીને એક જ્ઞાન જ વેદાય છે. આવી વાત છે.
અહા! પર્યાય તરીકે આખો આત્મા પર્યાયમાં વેદાય છે, અને આ એક જ વેદના જ્ઞાનીને છે. મતલબ કે આ સાતા કે અસાતાનું વેદન જ્ઞાનીને નથી એમ કહે છે. પોતે જ્ઞાન જ વેદાવાયોગ્ય અને પોતે જ્ઞાન જ વેદનાર એમ કહે છે. આ બધી પર્યાયની વાત છે હોં. પર્યાયમાં પર્યાયના ષટ્કારક છે ને ! દ્રવ્ય-ગુણમાં જેમ ધ્રુવ ષટ્કા૨ક છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com