SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૪૯ સમયસાર ગાથા-૨૨૮ ] ત્યારે વળી તે કહે છે પણ એનું કાંઈ સાધન તો હશે ને? સમાધાન - હા, સાધન છે; રાગથી ભિન્ન પડીને અંદર નિરાકુળ આનંદનો અનુભવ કર્યો તે સાધન છે. “પ્રજ્ઞાછીણી' સાધન છે. પ્રજ્ઞાછીણી' એ શબ્દ છે. (તેનું વાચ્ય એ છે કે ) રાગથી ભિન્ન પડીને આત્માને અનુભવવો એનું નામ પ્રજ્ઞાછીણી છે, અને એ જ સાધન છે. પણ એ સિવાય બીજા કોઈ ક્રિયાકાંડ સાધન નથી. અહીં કહે છે-“અભેદસ્વરૂપ વર્તતા વેધ–વેદકના બળથી...' ભાષા જુઓ ! કે ભેદરહિત અભેદ વેધ–વેદક જ્ઞાનીને હોય છે એમ કહે છે. ૨૧૬ ગાથામાં જે વેધ-વેદક કહ્યું એ તો વિભાવનું વેધ-વેદક હતું. વિભાવનું વેધ-વેદક જ્ઞાનીને નથી. જ્ઞાનીને તો ભગવાન આત્માનો આનંદ વેદવાને લાયક અને પોતે આનંદનું વેદન કરનારો-એમ અભેદ વેધ-વેદક છે. ‘સવિત' એટલે આનંદની જે પ્રગટ દશા તેને પોતે જ વેદે છે, વેદવાલાયક પોતે ને વેદનારો પણ પોતે જ છે. એક સમયની પર્યાયમાં જ્ઞાનીનું વેવેદક છે, આવી વાત છે. પ્રશ્ન- દ્રવ્ય વેદક ને પર્યાય વેધ એમ છે કે નહિ? સમાધાન - ના, એમ નથી. પર્યાયમાં જ વેધ-વેદક છે. વેદાવાની લાયકાત (વેદાવાયોગ્ય ) જ્ઞાન-આનંદની પર્યાય છે ને વેદનાર પણ તે પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે; દ્રવ્યને કયાં વેદવું છે? ને દ્રવ્યને કયાં વેદાવું છે? પ્રવચનસારની ૧૭૨ મી ગાથાના અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં કહ્યું છે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્યદ્રવ્ય-ભગવાન આત્મા–તેને આત્મા વેદતો નથી; આત્મા તો પોતાની જે શુદ્ધ પર્યાય છે તેને વેદે છે. માટે શુદ્ધ પર્યાય છે તે આત્મા છે એમ ત્યાં કહ્યું છે. ભલે દષ્ટિ દ્રવ્ય ઉપર છે પણ વેદન તો પર્યાયમાં છે. આત્મા વેદે છે એટલે કે પર્યાય વેદે છે-એમ અર્થ છે. આત્મા દ્રવ્યને વેદે છે કયાં? આત્મા (-પર્યાય) દ્રવ્ય-સામાન્યને તો અડતોય નથી. ભાઈ ! જે વેદન છે એ તો પર્યાયનું વેદન છે. ત્યાં (પ્રવચનસાર ગાથા ૧૭ર માં) અઢારમાં બોલમાં એમ કહ્યું કેઅર્થાવબોધરૂપ એવો જે વિશેષ ગુણ તેને આત્મા અડતો નથી અર્થાત્ ભેદને અડતો નથી. અને અર્થાવબોધરૂપ વિશેષ-પર્યાયને પણ આત્મા અડતો નથી. (૧૯ મો બોલ). બાપુ! એની રમતુ બધી દ્રવ્ય ને પર્યાય વચ્ચે છે, બહારમાં કાંઈ નથી. વીસમાં બોલમાં કહ્યું કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય તેને અડતો નથી એવો શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે શુદ્ધ પર્યાયનું જે વેદન થયું તે હું છું, કેમકે મારા વેદનમાં પર્યાય આવી છે; વેદનમાં દ્રવ્ય આવતું નથી. આ મારગ બાપુ ! બહુ જુદો છે ભાઈ ! લોકોને Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy