SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ] [ ૪૩૩ ગતિને જાણે? અહાહા...! રાગ ને જડથી ભિન્ન પડ્યો છે એવા ભગવાન આત્માની ઉજ્વળ પરિણતિને તે કેમ જાણે ? જુઓને! પોતે (અજ્ઞાની) બાલબ્રહ્મચારી હોય છતાં તેને રાગની એકતાબુદ્ધિ છે, અને જ્ઞાનીને ૯૬ હજાર સ્ત્રીઓ હોય છતાં રાગની એકતાબુદ્ધિ નથી. હવે આ ફેરને અજ્ઞાની કેમ જાણે ?–એમ કહે છે. બાળબ્રહ્મચારી હોવા છતાં પોતે (–અજ્ઞાની) શુદ્ધતાનો સ્વામી નથી તથા ૯૬ હજાર સ્ત્રીઓ હોવા છતાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાયના અભાવથી ઉત્પન્ન શુદ્ધતાનો જ્ઞાની-સમકિતી સ્વામી છે. આવો ફેર છે તે અજ્ઞાની જાણતો નથી. મિશ્રપણું જ્ઞાનીને જ હોય છે, કેમકે સાધકપણું હોય ત્યાં જ કિંચિત્ બાધકપણું હોય છે; અને છતાંય તે (જ્ઞાની) તેનો (–બાધકપણાનો) સ્વામી નથી કેમકે તેને રાગમાંથી (–બાધકમાંથી) રસ ઊડી ગયો છે. અહા ! ઇન્દ્રના ઇન્દ્રાસનમાં પણ તેને સુખબુદ્ધિ નથી. ઇન્દ્ર કોડો અપ્સરાઓ સાથે રમતો દેખાય છતાં ત્યાં એને સુખબુદ્ધિ નથી અને અજ્ઞાની બાળબ્રહ્મચારી હોય કે સાધુ થયો હોય છતાં રાગમાં તેને રસ છે, પરમાં સુખબુદ્ધિ ઊભી છે. આવી વાત છે. હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ * કળશ ૧૫૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * યત મય–વન–ત્રનોવ–મુ9–31ધ્વનિ વષે પતતિ gિ' જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં.... અહા ! દેવો તરફથી વજપાત થાય કે આમ આકાશમાંથી અગ્નિ ઝરતી હોય તે વખતે લોકમાં અજ્ઞાનીઓ પોતાનો માર્ગ છોડી દે છે અર્થાત્ ભયભીત થઈને માર્ગમાંથી ખસી જાય છે. પરંતુ ‘મન’ આ સમ્યગ્દષ્ટિ જીવો ‘નિસ-નિર્મયતયા' સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે.. , જોયું? સમ્યગ્દષ્ટિ સ્વભાવથી જ નિર્ભય છે. ભગવાન આત્મા નિર્ભયસ્વભાવ છે, આત્મામાં-વસ્તુમાં ભય નથી. આવા નિર્ભયસ્વભાવી આત્માના અનુભવને લઈને સમ્યગ્દષ્ટિ નિર્ભય છે. તેથી કહે છે સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે ‘સર્વાન વ શંછાં વિય' સમસ્ત શંકા છોડીને અર્થાત્ ભયરહિત થઈને સ્વયં સ્વ વધ્ય–વો–વપુષે નાનન્ત:' પોતે પોતાને જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે એવો જાણતા થકા, ‘વોપાત્ વ્યવન્ત ૧ દિ' જ્ઞાનથી ટ્યુત થતા નથી. Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy