SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી રર૩ ] [ ૩૯૫ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી (કે તું મારા ફળને ભોગવ), [તિનું: gવ હિ ળ: વર્મળ: યત્ છન્ન પ્રાપ્નોતિ] *ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે; [ જ્ઞાનું સન] માટે જ્ઞાનરૂપે રહેતો અને [તલપસ્ત૨૫ રન:] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો [ મુનિ:] મુનિ, [ત– – પરિત્યા–ર–શીન:] કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, [ કર્મ જીર્વા: પિ દિ] કર્મ કરતો છતો પણ [ર્મ નો વધ્યતે] કર્મથી બંધાતો નથી. ભાવાર્થ- કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની ઇચ્છા નથી. ૧૫ર. સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩: મથાળુ હવે આ જ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે: * ગાથા ૨૨૦ થી ૨૨૩: ટીકા ઉપરનું પ્રવચન * જેમ શંખ પરદ્રવ્યને ભોગવે–ખાય તો પણ તેનું શ્વેતપણે પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ ) બની શકતું નથી...' શું કહ્યું? કે કોઈ પણ પદાર્થ કોઈ પણ પદાર્થને પરભાવસ્વરૂપ એટલે કે જે પદ્રવ્યનો ભાવ છે તે સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. અહીં પરભાવ એટલે એકલો વિકારી ભાવ એમ નહીં પણ કોઈ દ્રવ્ય પરદ્રવ્યના કોઈ પણ ભાવરૂપ અન્ય દ્રવ્યને કરી શકતું નથી એમ અર્થ છે. કહે છે કે “જેમ શંખ પરદ્રવ્યને ભોગવે ખાય તોપણ...' પ્રશ્ન- આપ કહો છો કે પરદ્રવ્યને કોઈ ભોગવે-ખાય નહીં અને પાછું કહ્યું કે ભોગવે-ખાય? ઉત્તર:- ભાઈ ! આ તો અહીં (લૌકિક) દષ્ટાંત દીધું છે. તો કહે છે કે શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ શંખનું શ્વેતપણે પર વડે કૃષ્ણ કરી શકાતું નથી. શંખ ધોળો હોય ને કાળો કાદવ ખાવ કે દરિયામાં કાળાં * કર્મનું ફળ એટલે (૧) રંજિત પરિણામ, અથવા તો (૨) સુખ (–રંજિત પરિણામ ) ઉત્પન્ન કરનારા આગામી ભોગો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy