SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૫૩ મુહૂર્તમાં કેટલાય જીવોએ કેવળજ્ઞાન લીધું છે. અહા! નિગોદમાંથી નીકળીને, એકાદ ભવ બીજે કરીને જ્યાં મનુષ્ય થયો તો ( આઠ વર્ષ પછી) ભેદજ્ઞાન કરીને સમકિત પામ્યો અને દીક્ષા લઈને અંતઃમુહૂર્તમાં કેવળજ્ઞાન ઊપજાવી સિદ્ધ થયો. હા, પણ એવા કેટલા જીવ? અરે ભાઈ ! એવી એની તાકાત છે કે નહિ? મોક્ષ જાય એવી એની અંદર તાકાત છે, કેમકે પોતાનો સર્વજ્ઞસ્વભાવ છે, પોતે સદા એક જ્ઞાયકભાવ છે. આ તો છે એને એનલાર્જ કરવો છે; બસ, જે શક્તિરૂપે છે તેને વ્યક્તરૂપ કરવો છે. પ્રશ્ન- તો એનો સંચો (સાધન) છે કે નહિ? ઉત્તર:- છે ને; અંદર એક જ્ઞાયકભાવમાં એકાગ્ર થવું તે એનો સંચો (સાધન) છે. જાઓ, એ જ અહીં કહ્યું કે-ટંકોત્કીર્ણ અર્થાત્ ટાંકીને ઘડી કાઢેલો એવો ધ્રુવ શાશ્વત એક જ્ઞાયકભાવ જ્ઞાનીની દષ્ટિમાં નિરંતર છે અને એ જ ઉપાય છે. ભાઈ ! આ ઝીણું પડે પણ શું થાય? અનંત જિનવરદેવો-તીર્થકરોનો આ જ ઉપદેશ છે. અહાહા...! જ્ઞાનીની દ્રષ્ટિમાં એક જ્ઞાયકભાવ જ તરવરે છે. તેને એક જ્ઞાયકમાત્રભાવનો જ નિરંતર આશ્રય છે. પર્યાય છે એ તો જાણવા માટે છે, આદરણીય તો એક જ્ઞાયકભાવ જ છે. આ શાસ્ત્રની અગિયારમી ગાથામાં ન આવ્યું કે ___ 'व्यवहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ' વ્યવહારનય અભૂતાર્થ નામ અસત્યાર્થ છે, અને શુદ્ધનય યાને એક જ્ઞાયકભાવ ત્રિકાળી શુદ્ધ શાશ્વત ચીજ ભૂતાર્થ છે. ભાઈ ! આ અગિયારમી ગાથા તો જિનશાસનનો પ્રાણ છે. પ્રશ્ન- વ્યવહાર અભૂતાર્થ-અસત્યાર્થ છે તેનો અર્થ શું? સમાધાનઃ- વ્યવહાર અસત્યાર્થ કહ્યો એનો અર્થ એમ નહિ કે વ્યવહારનો વિષય જે પર્યાય તે છે જ નહિ. જો પર્યાય જ નથી એમ કહો તો તો વેદાંત થઈ જાય, કેમકે વેદાંત પર્યાયને માનતું નથી, એકલા દ્રવ્યને (કૂટસ્થ) માને છે. પણ એમ છે નહિ. તો કેવી રીતે છે? ભાઈ ! અહીં તો વ્યવહાર નામ પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે, અભાવ કરીને નહિ. “મૂલ્યો ફેસિવો ડું સુદ્ધનો '—એમ કહ્યું ને? ત્યાં નય ને નયના વિષયનો ભેદ કાઢી નાખીને શુદ્ધનય અર્થાત્ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી આત્માને મુખ્ય કરીને ભૂતાર્થ કહ્યો, સત્યાર્થ કહ્યો અને વ્યવહારનયને અર્થાત્ પર્યાય અને રાગાદિને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો. ત્યાં પર્યાયનો અભાવ કરીને (વ્યવહારનય) અસત્યાર્થ કહ્યો છે એમ ન સમજવું કેમકે જો અભાવ કરીને અસત્ય કહ્યો હોય તો પર્યાયનો નાશ થઈ જાય અને તો દ્રવ્ય પણ ન રહે. એ તો સમ્યગ્દર્શનનું Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy