________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૫૧ વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જેવું ભગવાન કેવળીએ કહ્યું છે તેને સમજવા પ્રતિ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે એમ વાત છે. આ તો ભગવાનના કાયદા છે ભાઈ !
અહા ! પંચમ આરામાં અત્યારે અહીં ભરતમાં ભગવાનના વિરહ પડ્યા! કેવળજ્ઞાન રહ્યું નહિ, પણ કેવળીની આ વાણી રહી ગઈ. એ વાણીનો આ પોકાર છે કેપ્રભુ! તું ભગવાન છો; પ્રત્યેક આત્મા નિશ્ચયથી ભગવાન-સ્વરૂપ જ છે. અહાહા..! નિશ્ચયથી આ શુદ્ધ (એક જ્ઞાયકભાવ ) જે છે તે આત્મા છે, જ્યારે આ રાગાદિ છે એ તો આસ્રવ છે, અનેક દ્રવ્યસ્વભાવ છે, જીવસ્વભાવ નહિ. જ્યારે કર્મ આદિ છે તે અજીવ છે, આત્માથી ભિન્ન છે. આસ્રવભાવ પણ આત્માથી ભિન્ન છે. જો એમ ન હોય તો નવતત્ત્વ રહે નહિ. માટે આસ્રવથી ભિન્ન આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ પ્રભુ નિત્ય ભગવાન સ્વરૂપ જ છે. અહાહા...! ‘ભગ’ નામ જ્ઞાનાનંદની લક્ષ્મી અને ‘વાન' નામ સ્વરૂપ જેનું છે તેવો આત્મા નિશ્ચયે ભગવાન છે. અને તે આદરણીય છે. પર અરે ! આ સાંભળીને અજ્ઞાની રાડ પાડે છે કે-અમે તે ભગવાન! પણ બાપુ! તું સાંભળ તો ખરો નાથ! જો તું અંદર ભગવાન નથી તો તારી ભગવાનની અવસ્થા પ્રગટશે કયાંથી ? અંદર ભગવાન સ્વભાવમાંથી તે ઉત્પન્ન થશે, કાંઈ બહારમાંથી ( રાગમાંથી) ઉત્પન્ન નહિ થાય. સમજાણું કાંઈ....?
આત્મા સ્વરૂપથી ભગવાન છે; માટે અમને તો સર્વ જીવ સાધર્મી છે. દ્રવ્ય તરીકે તો બધા આત્મા સાધર્મી છે. આ ‘સર્વોપુ મૈત્રી' નથી આવતું? “સર્વોપુ મૈત્રી ગુfપુ પ્રમોઢું'—એમ આવે છે ને? અહાહા..! સર્વ આત્મા સદા અંદર તો ભગવાન સ્વરૂપ જ છે. આ નારકી, તિર્યંચ, મનુષ્ય ઇત્યાદિ તો કર્મના નિમિત્તની ઉપાધિના બોલ છે. અને આ શુભાશુભભાવ-કર્તા-ભોક્તાપણાના ભાવ એ પણ કર્મના નિમિત્તની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ઔપાધિક ભાવ છે, અનેક દ્રવ્યના સ્વભાવ છે; એ કાંઈ જીવનું સત્યાર્થ સ્વરૂપભૂત નથી; તેઓ કાંઈ જીવના સ્વરૂપભૂત નથી.
આત્મા એક જ્ઞાયકભાવ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ છે; જ્યારે રાગાદિ ભાવો – કર્તા-ભોક્તાપણાના ભાવો નાના દ્રવ્યોના સ્વભાવ છે. પર સંયોગે ઉત્પન્ન થયેલા તેઓ પરસ્વભાવો-અનેક દ્રવ્યના સ્વભાવો છે, જુઓ છે અંદર? કે “નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી”—અર્થાત આ કારણે-“ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.” લ્યો, જ્ઞાની કોને કહેવો એ પણ આમાં ખુલાસો કરી દીધો કે ટંકોત્કીર્ણ એક શાકભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની ” છે.
ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ” એટલે? છઠ્ઠી ગાથામાં આચાર્ય કુંદકુંદે “એક જ્ઞાયકભાવ” ના કહ્યો? કે
‘ण वि होदि अपमत्तो ण पमत्तो जाणगो दु जो भावो'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com