SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૯૪ अथ भावनिर्जरास्वरूपमावेदयति दव्वे उवभुंजते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।। १९४।। द्रव्ये उपभुज्यमाने नियमाज्जायते सुखं वा दुःखं वा। तत्सुखदुःखमुदीर्ण वेदयते अथ निर्जरां याति।। १९४ ।। હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે, એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઇ જાય છે. ૧૯૪. ગાથાર્થ:- [દ્રવ્ય ૩૫મુખ્યમ] વસ્તુ ભોગવવામાં આવતાં, [ સુવું વા દુ:વું વા] સુખ અથવા દુ:ખ [નિયમાન્] નિયમથી [નાયતે] ઉત્પન્ન થાય છે; [૩વીળ] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [ તત્ સુરદુ:૩] તે સુખદુઃખને [વે તે] વેદે છેઅનુભવે છે, [ અથ] પછી [ નિર્નરાં યાતિ] તે (સુખદુ:ખરૂપ ભાવ) નિર્જરી જાય છે. ટીકા - પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુ:ખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદના બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ ). જ્યારે તે (સુખરૂપ અથવા દુઃખરૂપ ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદષ્ટિને, રાગાદિભાવોના સર્ભાવથી બંધનું નિમિત્ત થઇને (તે ભાવ) નિર્ભરતાં છતાં (ખરેખર) નહિ નિર્ભર્યો થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્ભરતો હોવાથી (ખરેખર) નિર્ભર્યો થકો, નિર્જરા જ થાય છે. ભાવાર્થ- પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુ:ખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જ કહી શકાતો નથી; માટે મિથ્યાદષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy