________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૪ ]
[ ૩૦૧
જ્ઞાની છે, અને તે સર્વ ૫૨ભાવોને ઠેય જાણે છે. અને તેથી તેને આ ભાવો મારા છે અને તેને હું મેળવું એમ ઇચ્છા થતી નથી. આવી વાત છે.
પંડિત શ્રી ટોડરમલજીના વખતમાં બ્ર. રાયમલજી થઈ ગયા છે. તેમણે ‘ચર્ચા સંગ્રહ' નામના પુસ્તકમાં કહ્યું છે કે
પ્રશ્ન:- આત્મા હી કે ધ્યાનસે મોક્ષ હોના કહી સો કારણ કહા? મોક્ષ તો એક વીતરાગ ભાવસોં હોય હૈં, સો વીતરાગ ભાવ કોઈ હી કારણ કર હુઆ ચાહિએ. એક આત્મા હી કે ઘ્યાનકા કહા પ્રયોજન હૈ? તાકા ઉત્તરઃ
ઉત્ત૨:- યહ તર્ક đને કહી સો સત્ય હૈ. વીતરાગ ભાવોંસે હી મોક્ષ હોય હૈ યામેં તો સંદેહ નાહીં પરંતુ વીતરાગ ભાવ કારણ કે બિના હોય નાહીં યહ નિયમ હૈ.
જૈસે એક લોઢેકા પિંડ અગ્નિ વિશેં ડારિયે તબ વહુ લોઢેકા પિંડ તાયમાન ઉષ્ણતાકો પ્રાપ્ત હોય હૈ ઔર અગ્નિ માઁહિ તે કાઢિ ફેરિ અગ્નિ વિષે હી ડારિયે તો ત્રિકાલ ઉષ્ણતા કો છાઁડિ શીતલતાકો પ્રાપ્ત હોય નાહીં-ઔર અગ્નિ માઁહિ સોં કાઢિ સૂર્ય કે તાપ વિર્ષે ધરિયે તો સર્વ પ્રકાર સંપૂર્ણ શીતલ હોય નાહીં, કિંચિત્ ઉષ્ણતા લિયે રહે હી-ઔર યદિ જલ વિર્ષે ગોલાકો ક્ષેપિયે તો તત્કાલ અન્તર્મુહૂર્તમેં શીતલ હોય.
ઐસે હી આત્મા ચિદ્રૂપ પિંડકો કષાયોંકા કારણ પુત્ર-પુત્રી-સ્ત્રી-ધન-શરીરાદિ અશુભ કારણ વિર્ષે ઉપયોગકો લગાઈયે તો તીવ્ર કષાય ઉત્પન્ન હોય ઔર ફેરિ વિષયભોગકી સામગ્રી વિષે ઉપયોગકો લગાઈયે તો ત્રિકાલ વિર્ષે કષાય શાન્ત હોય નાહીં, ઔર દેવ-ગુરુ-ધર્મ-દાન-તપ-શીલ-સંયમ-ત્યાગ-પૂજા-સામાયિક-દયા આદિ વિષે પરિણામ લગાઈયે તો મંદકષાય હોય ઔર ષદ્રવ્ય-નવપદાર્થ-પંચાસ્તિકાય-સસ તત્ત્વગુણસ્થાન-માર્ગણા-કર્મકાણ્ડકા ચિંતવન કરે તો વિશેષ અત્યંત મંદકષાય હોય, ઔર આત્મા કે ગુણપર્યાય વિષે ઉપયોગ લગાયે તો પરમ શુક્લ લેશ્યા હોય, બહુરિ આત્માકા અભેદરૂપ અવલોકન કરૈ તો સર્વ પ્રકાર વીતરાગ ભાવ હોય હૈ. વીતરાગ ભાવોં સે મોક્ષ હોય હૈ. '' ( હિન્દી આત્મધર્મ, જાન્યુ. ૧૯૭૭).
,
શું કીધું? કે વીતરાગભાવથી મોક્ષ થાય છે; અને એ વીતરાગભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કહે છે-સ્ત્રી-પુત્રાદિ પ્રતિ લક્ષ કરો તો તીવ્ર કષાય થાય છે. દેવગુરુ-શાસ્ત્ર પ્રતિ લક્ષ કરો તો મંદ રાગ થાય છે અને સ્વસ્વરૂપ સંબંધી-દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી ભેદ-વિચાર કરો તો અત્યંત મંદ રાગ થાય છે. પણ એમાં વીતરાગતા કયાં આવી? ન આવી. વીતરાગતા તો ચિદાનંદમય વીતરાગસ્વભાવી શુદ્ધ આત્માના આશ્રયે થાય છે અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માને જ કારણ બનાવે તો
Please inform us of any errors on
[email protected]