________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪ ]
વચન રત્નાકર ભાગ-૭ (સ્વાતા ) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः। तद्भवत्वथं च रागवियोगात्
नूनमेति न परिग्रहभावम्।।१४६ ।। શ્લોકાર્થ- [પૂર્વવદ્ધ–નિન––વિપાવI] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે [ જ્ઞાનિન: યદ્ધિ ૩૫મો : ભવતિ તા મવત] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [ 4થ વ] પરંતુ [રા વિયોTI] રાગના વિયોગને લીધે (–અભાવને લીધે) [ નૂનમ] ખરેખર [ રચદમાવતિ] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
ભાવાર્થ- પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રસ્પણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬.
સમયસાર ગાથા ૨૧૪ : મથાળું એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છે:
જુઓ, આ નિર્જરા અધિકાર છે. ધર્મ કોને થાય અર્થાત્ કર્મ તથા અશુદ્ધતાની નિર્જરા કોને થાય તેની આ વાત ચાલે છે. અહાહા....! સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ પરમાત્માએ જે આત્માને જોયો છે તે નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી છે. અહાહા..! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળ સચ્ચિદાનંદમય વસ્તુ છે. આવા આત્માના જેને અનુભવ ને પ્રતીતિ થયાં છે તે સમકિતી જ્ઞાની છે, ધર્મી છે. તેને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યભાવની ઇચ્છા નથી, તથા તેને પાપભાવ થઈ આવે તો પણ તેની ઇચ્છા નથી. અહાહા...! જ્ઞાનીને પુણ્ય-પાપના ભાવની ઇચ્છા નથી.
અહીં મુનિની પ્રધાનતાથી કથન છે ને? અહાહા...! અંતરમાં અતીન્દ્રિય આનંદની-પ્રચુર આનંદની લહેરમાં જે રમી રહે છે તે મુનિ ધર્માત્મા છે. એવા મુનિને, કહે છે, પુણ્ય-પાપની ઇચ્છા નથી તથા આહાર-પાણીની ઇચ્છા નથી. ગજબ વાત છે ભાઈ ! મુનિરાજને આહાર-પાણીનો વિકલ્પ તો થઈ આવતો હોય છે, પણ આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com