________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨ ]
અને રત્નાકર ભાગ-૭ ઉદયના નિમિત્તે તેને એની વેદના સહન થઈ શકતી નથી અને ચારિત્રમોહનીયના નિમિત્તે પાનની ઇચ્છા ઉત્પન્ન થાય છે. છતાં તે ઇચ્છાની ઇચ્છા જ્ઞાનીને નથી. જ્ઞાનીને ઇચ્છાનુંપરજન્ય ઇચ્છાનું સ્વામીપણું હોતું નથી. ધર્મી જીવને તો પોતાના દ્રવ્ય-ગુણ ને શુદ્ધ પર્યાય એ જ પોતાનું સ્વ છે અને તેનો પોતે સ્વામી છે પણ રાગ તેનું સ્વ નથી અને તેથી રાગનું એને સ્વામીપણું નથી. માટે જ્ઞાની પાનની ઇચ્છાનો પણ ગાયક જ છે. અહા ! જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવમાં સ્થિત થઈને જે ઇચ્છા થાય છે તેને પર તરીકે માત્ર જાણે જ છે. આવી વાત છે.
કોઈને વળી થાય કે આ બધું સમજવા ક્યાં રોકાવું? એના કરતાં તો જીવોની દયા પાળવી, પ્રતિક્રમણ આદિ કરવાં એ સહેલું પડે છે.
અરે ભાઈ ! તને જે સહેલું પડે છે એ તો રાગ છે. અને રાગમાં ધર્મબુદ્ધિ થવી એ મિથ્યાત્વ છે. જ્ઞાનીને તો રાગનો અનુરાગ નથી. એ તો માત્ર જે રાગ થઈ આવે છે તેનો જાણનાર જ રહે છે. સમજાણું કાંઈ ?
[ પ્રવચન નં. ૨૮૬ (શેષ) * દિનાંક ૮-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com