________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૦
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्म। अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि।। २१०।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति धर्मम्।
अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति।। २१०।। જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો ) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે:
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, શાની ન ઇચ્છે પુષ્યને,
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦ ગાથાર્થ - [ અનિચ્છ:] અનિચ્છકને [ અપરિપ્રદ:] અપરિગ્રહી [ ભણિત: ] કહ્યો છે [ ] અને [ જ્ઞાની ] જ્ઞાની [ ધર્મમ] ધર્મને (પુણને) [રૂછતિ] ઇચ્છતો નથી, [તેન] તેથી [સ:] તે [ ધર્મચ] ધર્મનો [પરિપ્રદ: તુ] પરિગ્રહી નથી, [જ્ઞાય5:] (ધર્મનો) જ્ઞાયક જ [ ભવતિ] છે.
ટીકાઃ- ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
*
સમયસાર ગાથા ૨૧૦: મથાળું જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો ) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે:
* ગાથા ૨૧૦: ટીકા ઉપરનું પ્રવચન * ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” શું કહ્યું? કોઈ પણ પદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. પદાર્થ-વસ્તુ પરિગ્રહ નથી પણ ઇચ્છા પરિગ્રહ છે. જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી. ધર્મીને પરવસ્તુ મારી છે–એમ ઇચ્છા જ નથી. પરવસ્તુમાં મારાપણાની ધર્મીને ભાવના હોતી નથી. અહા ! ધર્મપ્રાપ્તિની બહુ આકરી શરત છે! કેમકે ઇચ્છા એ જ મૂર્છા છે ને મૂર્ચ્છ-મિથ્યાત્વ એ જ પરિગ્રહ છે.
હવે કહે છે-“ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી.' ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે.” અહીં મિથ્યાત્વ સહિતની ઇચ્છાને ઇચ્છા કહી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com