SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૯ ] [ ર૬૧ શું કહ્યું? સામાન્યતઃ એટલે એકસાથે બધી ચીજ મારી નથી, રાગથી માંડીને જગતની બધી ચીજ મારી નથી, મારામાં નથી, એનું મને સ્વામીપણું નથી એમ પોતાના આત્મા સિવાય સમસ્ત અન્ય વસ્તુના પરિગ્રહનો ત્યાગ કહ્યો. પહેલાં દષ્ટિમાં ત્યાગ હોય છે હો. તો કહે છે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને “ધુના' હવે ‘સ્વપૂરો: વિવેહેતુન્ ડજ્ઞાનમ્ ત્િમની: ગય' સ્વપરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ ‘મૂય:' ફરીને ‘તમ્ વ' તેને જ (–પરિગ્રહને જ) ‘વિશેષા' વિશેષતઃ ‘પરિહર્તુનું પ્રવૃત્ત:' છોડવાને પ્રવૃત્ત થયો છે. અર્થાત્ સ્વપરની એકત્વબુદ્ધિ છોડવાના જેના ભાવ છે તે ફરીને તેને જ-પરિગ્રહને જ વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. હવે એક એક ચીજનું નામ લઈને (આગળની ગાથામાં) કહેશે. હવે બીજો અર્થ આમ છે આ રીતે સ્વપરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને હવે, અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, ફરીને તેને જ વિશેષત: છોડવાને પ્રવૃત્ત થયો છે. અહાહા.! મૂળમાંથી જ પકડ છે. મિથ્યાત્વ ને અજ્ઞાનને છોડવાના જેના ભાવ છે તે ફરીને પણ તેને જ વિશેષપણે છોડવાને પ્રવૃત્ત થયો છે એમ કહે છે. હવે ગાથાઓમાં નામ લઈને જુદા-જુદા કહેશે. * કળશ ૧૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * - “સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે.” શું કહ્યું? કે જ્ઞાન ને આનંદસ્વરૂપ જે ભગવાન આત્મા તે સ્વ છે ને શરીરાદિ તથા રાગાદિ પર છે. તે બન્નેને એક માનવા તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અહાહા...! છે? કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઘણું હો, પણ જો તેને સ્વ અને પરની એકતાબુદ્ધિ છે તો તે અજ્ઞાન છે. હવે કહે છે તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે.' જુઓ, પહેલું પુણ લીધું છે. જ્ઞાનીને ધર્મનો (-પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે. આમ વિશેષ કરીને પરિગ્રહને છોડે છે એમ હવેની ગાથાઓમાં આવશે. [ પ્રવચન . ૨૮૪ (ચાલુ) * દિનાંક ૬-૧-૭૭] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy