SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.” અહા ! પરદ્રવ્યનું થવું હોય તે થાઓ, પણ તે મારી ચીજ છે એમ હું નહિ માનું. હું પરદ્રવ્યનું પરિગ્રહણ-પદ્રવ્યમાં એકત્વબુદ્ધિ ત્રણકાળમાં નહિ કરું એમ કહે છે. અહા! સ્ત્રી હો, પુત્ર હો, પુત્રી હો કે ધન હો-તે કોઈ ચીજ મારી છે નહિ અને તે છેદાઓ, ભેદાઓ વા નાશ પામો તોપણ મને કાંઈ નથી અર્થાત તેથી મારામાં કાંઈ હાનિ નથી. અહા ! આવી દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે ચારિત્ર તો કોઈ ઓર અલૌકિક ચીજ છે. “સ્વરૂપે વેરનું વારિત્રમ્' અહાહા....! સ્વરૂપનું ભાન થયા પછી સ્વરૂપમાં ચરવુંરમવું-ઠરવું તે ચારિત્ર છે. અહો ! ચારિત્ર કોઈ અભુત અલૌકિક દશા છે! ભાઈ ! આ નગ્નપણું કે પંચમહાવ્રતનો રાગ એ કાંઈ ચારિત્ર નથી. (તેને ઉપચારથી ચારિત્ર કહેવું એ જુદી વાત છે). પ્રશ્ન- ચારિત્ર ગ્રહવા માટે કપડાં તો કાઢવાં પડે ને? સમાધાનઃ- કાઢવાં શું પડે? એ તો એને કારણે નીકળી જાય છે બાપુ! “કપડાં હું છોડું છું' એ તો ત્યાં છે જ નહિ. “કપડાં હું છોડું છું' એ તો માન્યતા જ મિથ્યા છે. શું કપડાં એના છે તે એ છોડ છે? અને શું તે કપડા કાઢી શકે છે? કપડાંનું ઉતરવું પણ એના (કપડાંના ) પોતાના કારણે થાય છે. ખૂબ ગંભીર વાત ભાઈ ! પ્રશ્ન:- આ ટોપી પોતે (-આત્મા) સરખી પહેરી શકે છે કે નહિ? ઉત્તર:- એ તો કહ્યું ને કે પરમાં આત્મા કાંઈ ન કરી શકે એવો તે પંગુ છે. ટોપી શું પહેરે ? ભાઈ ! ટોપીનું સરખું પહેરવું જે થાય છે તે તેને (ટોપીને) કારણે થાય છે; તેના અકાળે તે પર્યાય થવાવાળી છે તો થાય છે, પણ ટોપીની પર્યાય પોતે (–આત્મા) કરે છે એમ છે જ નહિ. બહુ આકરી વાત બાપા ! વીતરાગનો મારગ બહુ અલૌકિક છે પ્રભુ! અહીં કહે છે-“હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું,” કેમકે મારો તો ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ પરિગ્રહ છે. એ તો ગાથા ૨૦૭ માં આવી ગયું ને કે “જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે.' અહા! હું આનંદકંદ પ્રભુ આત્મા છું અને તે જ મારો પરિગ્રહ છે-આમ જ્ઞાની જાણે છે. આમ જાણતો તે પરદ્રવ્યને-સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ઝવેરાત આદિને પોતાની સાથે એકમેક કરતો નથી. પ્રશ્ન:- તો આ બધું-ઝવેરાત આદિ બધું-કયાં નાખવું? સમાધાન - અરે ભાઈ ! એ બધું ક્યાં તારું (-આત્માનું) છે? તો કોનું છે? બાપુ? એ તો જગતની જડ ચીજ માટી–ધૂળ છે અને તે ધૂળ ધૂળની-પુદ્ગલની છે. Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy