________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૮
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज। णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।। २०८।।
मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु गच्छेयम्। ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम।।२०८ ।।
માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છે:
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮, ગાથાર્થ-[ યરિ] જો [પરિચદ:] પરદ્રવ્ય-પરિગ્રહ [મન] મારો હોય [ તતઃ] તો [ અદમ્] હું [ નીવતાં તુ] અજીવપણાને [] પામું. [ યાત્] કારણ કે [૬] હું તો [ જ્ઞાતા વ] જ્ઞાતા જ છું [તસ્માર્] તેથી [પરિગ્ર:] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહુ [મમ ન] મારો નથી.
ટીકા - જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મા “સ્વ” થાય. હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.
ભાવાર્થ:- નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહુ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહુ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા જ છું.
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com