SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ ] ચિન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- પણ લોકો આવી વાતથી રાડ પાડે છે ને? ઉત્તરઃ- શું કરીએ ભાઈ ! તેઓ તો પોતાની (વર્તમાન) યોગ્યતા પ્રમાણે એમ કરે છે અને તેમને જે ભાસ્યું હોય તે કહે છે. પણ એથી કાંઈ તેમનો તિરસ્કાર ન હોય. તે પણ ભગવાન છે ને અંદર ? ૧૭-૧૮ ગાથામાં આવે છે ને કે જ્ઞાનની વર્તમાન જે વ્યક્ત અવસ્થા છે તે અવસ્થાનું સ્વરૂપ જ એવું છે કે તેમાં આખું દ્રવ્ય જ્ઞય તરીકે જણાય જ છે. અજ્ઞાનીની પર્યાયમાં પણ આખો જ્ઞાયક જણાય છે પણ તેની અંદર જ્ઞાયક ઉપર દષ્ટિ નથી, દષ્ટિ બહાર છે તેથી તે બીજો અધ્યવસાય કરે છે કે હું રાગ છું, અલ્પજ્ઞ છું, પર્યાયમય છું. હવે ત્યાં શું કરીએ? (દષ્ટિ બદલાતાં બધું સુલટી જશે ) અહીં કહે છે-અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયોના સમૂહને જે પી ગઈ છે એવી “યર્ચ HI: છ–ચ્છા: સંવેવ્યા : ' જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદન-વ્યક્તિઓ ‘ય સ્વયં કચ્છનન્તિ' આપોઆપ ઉછળે છે,... શું કહ્યું? કે નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ આપોઆપ ઉછળે છે એટલે કે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે સ્વયં પ્રગટ થાય છે. જાઓ, પરના આશ્રયે તો મલિનતાની પર્યાયો પ્રગટ થાય છે. ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રના આશ્રયે (લક્ષ) પર્યાય થાય તો પણ તે મલિન જ છે કેમકે તેઓ પરદ્રવ્ય છે અને પરદ્રવ્યના આશ્રયે રાગ જ થાય છે. પરંતુ સ્વદ્રવ્યનો આશ્રય લેતાં નિર્મળથી પણ નિર્મળ એટલે અતિ અતિ નિર્મળ અર્થાત્ વધતીવધતી નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. આવી વાત બિચારો સાંભળવા નવરો કયારે થાય? ધંધો-વેપાર ને સ્ત્રી-પુત્ર-પરિવારને સાચવવાની પાપની મારી આડ એને નવરાશ કયાં મળે? હું કર્તા-હર્તા છું, ને આવો છું ને તેવો છું-એમ માન લેવા આડે નવરો થાય તો આ સાંભળે ને? ' અરે ! અજ્ઞાની અનંતકાળમાં આમ ને આમ મરી ગયો છે. અહા ! એણે જીવને મારી નાખ્યો છે! પોતે ચૈતન્યરત્નોનો સમુદ્ર હોવા છતાં પરથી પોતાની મોટપ બતાવવામાં એણે જીવતા જીવને મારી નાખ્યો છે, એટલે કે પર્યાયમાં તેનો (પોતાનો) ઈન્કાર કર્યો છે. બાકી વસ્તુ જે છેપણે છે તે કયાં જાય? શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને કે સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો! રાચી રહો ?” -અમૂલ્ય તત્ત્વવિચાર. અહા! રાગ વડે અને પર ચીજ વડે હું મોટો-અધિક છું એમ માનનાર ક્ષણેક્ષણે જીવનું ભાવમરણ કરે છે. Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy