________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સ્વરૂપમાં રમતા રૂપ શુદ્ધોપયોગ છે અને તે ચારિત્ર છે. જ્યારે શુભાશુભભાવ અશુદ્ધોપયોગ છે અને તે અચારિત્ર છે. અહીં કહે છે–શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ છેદાય છે, શુભરાગથી નહિ. અરે ! લોકોને બિચારાઓને આનો અભ્યાસ નથી એટલે ક્રિયાકાંડના રાગમાં જ બધો કાળ વ્યર્થ ગુમાવી દે છે! પરંતુ ભાઈ ! સર્વજ્ઞ પરમેશ્વર શું કહે છે અને કઈ સ્થિતિએ બંધ છેડાય છે તે યથાર્થ જાણવું જોઈએ. એ સિવાય જન્મ-મરણના અંત કેમ આવશે પ્રભુ?
કહે છે-સમ્યગ્દર્શન થયા પછી પણ જ્ઞાનીને શુભભાવ આવે છે પરંતુ તે બંધનું જ કારણ છે; જ્યારે શુદ્ધોપયોગરૂપ જે અંતર્લીનતા તે બંધના અભાવનું કારણ છે. માટે રાગ હોવા છતાં, મને બંધ થતો નથી કેમકે હું સમકિતી –એમ માનીને જે રાગમાં સ્વચ્છેદ થઈ નિરર્ગલ પ્રવર્તે છે તે મિથ્યાદષ્ટિ જ છે. શ્રી જયચંદજીએ બહુ સરસ વાત કરી છે.
અહીં કોઈ પૂછે કે વ્રત-સમિતિ તો શુભકાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?'
જોયું? શું કહ્યું આ? કે વ્રત-સમિતિના પરિણામ શુભકાર્ય છે, ધર્મ નહિ હૈંતો પછી અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એમ મહાવ્રત પાળે, જીવોની વિરાધના ન થાય એમ ગમનાદિ સાધે, હિતમિત વચન બોલે, નિર્દોષ આહાર લે ઇત્યાદિ શુભકાર્ય કરે તેને પાપી કેમ કહ્યો?
તેનું સમાધાન- “સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે, જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.”
જુઓ, સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે-એમ એકાન્ત નાખ્યું છે. તો શું બીજાં (રાગાદિભાવ) પાપ નથી ? સાંભળને ભાઈ ! મિથ્યાત્વ એ જ સંસાર છે, મિથ્યાત્વ એ જ આસ્રવ છે ને મિથ્યાત્વ એ જ બંધનું કારણ છે. અન્ય રાગાદિભાવ (અશુભભાવ) પાપ તો છે, પણ તે અહીં ગૌણ છે. અહીં તો મૂળ પાપ મિથ્યાત્વ જ છે એમ વાત છે. વ્રતાદિ પુણ્યના પરિણામને ધર્મ ના ધર્મનું કારણ માને તે મિથ્યાત્વ છે અને તે મિથ્યાત્વ જ મૂળ પાપ છે. જુઓ, વિશેષ સ્પષ્ટ કરે છે કે-જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભાશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થ પાપ જ કહેવાય છે. ભાઈ ! કોઈ મહાવ્રતાદિનું આચરણ કરે અને એ વડ ધર્મ થવો માને તો તેને એ બધાં શુભાચરણ પાપ જ છે. આકરી લાગે પણ ચોકખી વાત કહી છે કે અધ્યાત્મમાં મિથ્યાત્વ સહિત શુભક્રિયાને પરમાર્થે પાપ જ કહે છે. પણ એને ક્યાં વિચારવું છે? બિચારો એમ ને એમ હાંકે રાખે છે. અહીં તો ભગવાનના આગમમાં આવેલી આ વાત છે કે
૧. મિથ્યાત્વ એ જ મૂળ પાપ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com