SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૦ ] [ ૬૩ (શિવરિજી) निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः सन्त्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः।। १०४ ।। સાધન (કારણ ) [ ૩ન્તિ] કહે છે [તેન] તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) [ સર્વમ્ પિ તત્ પ્રતિષિદ્ધ] સમસ્ત કર્મને નિષેધ્યું છે અને [ જ્ઞાનમ્ gવ શિવરંતુ: વિહિત] જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૩. જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છે – શ્લોકાર્થ:- [ સુવૃતદુરિતે સર્વમિન વર્માણ વિરુન નિષિ ] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતા અને [ નૈક્ઝર્વે પ્રવૃત્તેિ] એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, [મુન: વસુ અશરણ: ન સન્તિ] મુનિઓ કાંઈ અશરણ નથી; [ તા] (કારણ કેજ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિઅવસ્થા) પ્રવર્તે છે ત્યારે [ જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાન દિ] જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ [NI] તે મુનિઓને [શર] શરણ છે; [તે] તેઓ [ તત્ર નિરતા:] તે જ્ઞાનમાં લીન થયા થકા [ પરમસમૃત] પરમ અમૃતને [ સ્વયં] પોતે [ વિન્દન્તિ ] અનુભવે છે-આસ્વાદે છે. ભાવાર્થ:- “સુકૃત કે દુષ્કૃત-બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે?'એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદવે કર્યું છે કે:-સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે. તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો હોય છે-જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ૧૪. સમયસાર ગાથા ૧૫૦ : મથાળું હવે બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છેઃ Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy