________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
તું મુક્ત થા” એમ કહ્યું તો વર્તમાનમાં દુઃખ છે કે નહિ? છે એનાથી મુક્ત થવું છે કે નથી એનાથી મુક્ત થવું છે? એટલે વર્તમાનમાં દુ:ખ છે અને આત્મા આનંદસ્વરૂપ છે એમ બે ચીજ સિદ્ધ થઈ ગઈ-સ્વરૂપને સમજ્યો નથી માટે દુઃખ છે; એનો અર્થ જ એ થયો કે બીજી ચીજ છે જેના લક્ષે એને દુઃખ થાય છે.
દોરડી હોય એમાં સર્પનો આભાસ થાય છે. ત્યાં પણ બપણાનું જ્ઞાન સિદ્ધ થાય છે. સર્પ એના લક્ષમાં છે એનો દોરડીમાં આરોપ થયો. હવે કહે છે
“કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. જ્યાં દૈત જ-બે વસ્તુઓ જ માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે.'
અરે ભાઈ ! જો ભૂલ જ ન હોય તો આત્મા રખડે કેમ? ભૂલ ન હોય તો ભૂલ ટાળવાનો ઉપદેશ પણ શા માટે? દુઃખથી મુક્ત થાઓ-એવા ઉપદેશનો અર્થ જ એ થયો કે દુઃખ છે અને તે ટળી સુખ પ્રગટ થાય છે. ભેદ છે એને ટાળવાની વાત કરે છે એમાં જ ભેદરૂપ મલિનતા છે અને સ્વભાવ પવિત્ર છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાય બન્ને સિદ્ધ થઈ જાય છે.
જ્યાં બે ચીજ જ માને નહિ ત્યાં ભેદજ્ઞાન કોનાથી કરે? જીવ-અજીવ એમ બે ચીજ માને ત્યાં ભેદજ્ઞાન થઈ શકે. બીજી ચીજ છે અને તેના લક્ષે થતો ઉપાધિભાવ છે એમ માને તો ઉપાધિભાવરહિત થઈ સંવર પ્રગટ કરી શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય
છે.
સંસાર અને મોક્ષ એ પણ બે દશાઓ છે. સંસારદશા ન હોય તો મોક્ષદશા કયાંથી આવી? મોક્ષદશા સંસારદશાનો અભાવ થઈને થાય છે. જુઓ, આમાં પણ સંસાર-મોક્ષ એમ બે સિદ્ધ થયાં.
અહા ! સંસારમાં આ પૈસાવાળા શેઠિયા પણ બધા દુઃખી જ છે. લોકો દુનિયામાં એમને સુખી અને ડાહ્યા કહે પણ અહીં કહે છે-રાગથી જે ભેદ કરે છે તે ભેદજ્ઞાનીઓ જ માત્ર સુખી અને ડાહ્યા છે. અરે! મોટા ભાગના જીવોનો તો ઘણો કાળ બાયડી-છોકરાંની આળપંપાળમાં અને ધંધા-વેપારની પ્રવૃત્તિના અશુભભાવમાં-પાપભાવમાં જ ચાલ્યો જાય છે. સત્ સાંભળવાનો, સમજવાનો જે ભાવ છે તે બધો શુભભાવ છે. આવા શુભભાવની પ્રવૃત્તિનો જેમને સમય મળતો નથી અને એકાંતે પાપમાં રાચે છે તેમને પુણ્ય-પાપથી રહિત પોતાનું સ્વરૂપ છે એમ સમજવું મહામુશ્કેલ છે. અરે ! ભેદજ્ઞાનના અભાવે તેઓ બિચારા કયાં રખડશે? ભેદજ્ઞાન જ મુક્તિનું પહેલું પગથિયું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com