________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
સાક્ષાત્ સંવર પ્રગટ થાય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અને નિરાકુળ આનંદદશાની પ્રાપ્તિ એક ભેદવિજ્ઞાનથી જ થાય છે. “મે વિજ્ઞાનત: વ-એમ કહ્યું છે ને?
ત્યારે કોઈ કહે કે-આ તો એકાન્ત થઈ ગયું ભેદજ્ઞાનથી પણ થાય અને શુભાચરણથી પણ થાય એમ અનેકાન્ત કરવું જોઈએ.
તેને કહીએ છીએ કે ભાઈ ! તારું મિથ્યા અનેકાન્ત છે, ફુદડીવાદ છે. ભેદવિજ્ઞાનથી જ સંવર પ્રગટ થાય અને બીજી કોઈ રીતે (શુભાચરણથી) ન થાય એ સમ્યક અનેકાન્ત છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-“તસ્મતિ' માટે “તત્વ એવિજ્ઞાનમ' તે ભેદવિજ્ઞાન “ તીવ માવ્યમ' અત્યંત ભાવવાયોગ્ય છે.
જુઓ આ ઉપદેશ! કહે છે-રાગથી ભિન્નતા અને સ્વભાવની એકતા જેમાં થાય એવું ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે અર્થાત્ ભેદવિજ્ઞાન વડે સચ્ચિદાનંદમય ભગવાન આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ અત્યંત લેવા યોગ્ય છે; ભેદવિજ્ઞાન દ્વારા અંતરંગમાં નિજાનંદસ્વરૂપ અત્યંત સ્વાદ-ગ્રાહ્ય કરવા યોગ્ય છે.
ભાઈ ! તને અનાદિથી રાગનો સ્વાદ છે તે ઝેરનો સ્વાદ છે. સંસારના ભોગ આદિના સ્વાદ કે પંચમહાવ્રતાદિ શુભરાગના સ્વાદ એ બધા બે-સ્વાદ છે, કષાયલા સ્વાદ છે; એમાં સ્વરૂપના આનંદનો સ્વાદ નથી. માટે એક વખત પરથી-રાગથી ભિન્ન પડી અંતઃએકાગ્ર થઈ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે એમ કહે છે. ભેદવિજ્ઞાનથી જ આત્મોપલબ્ધિ થાય છે માટે તે ભેદવિજ્ઞાન જ અત્યંત ભાવવાયોગ્ય છે; રાગભાવ ભાવવાયોગ્ય નથી.
ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે, જ્યારે એથી વિપરીત રાગભાવ કલુષતારૂપ-દુઃખરૂપ છે. છઢાળામાં આવે છે ને કે
મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેસ ન પાયો.''
ભાઈ! તું હજારો રાણીઓ છોડી, મુનિવ્રત ધારણ કરી, પંચમહાવ્રત પાળી અનંતવાર ગ્રીવકમાં ઉપજ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના અર્થાત્ શુદ્ધાત્માની ઉપલબ્ધિ વિના સંવર પ્રગટ થયો નહિ અને સંસાર-પરિભ્રમણનો કલેશ મટયો નહિ. કિંચિત્ સુખ ન થયું એમ કહ્યું; મતલબ કે દુઃખ જ રહ્યું. એનો અર્થ જ એ થયો કે પંચમહાવ્રતના પરિણામ પણ બધા કલેશરૂપ-દુ:ખરૂપ જ રહ્યા. ભાઈ ! આ વસ્તુનું સ્વરૂપ છે. આગમની વ્યવહારપદ્ધતિ જે રાગરૂપ છે તે બધી દુઃખરૂપ છે. અહા ! ગજબ વાત છે. ભેદજ્ઞાનપૂર્વક સંવર પ્રગટ થાય એ જ આનંદરૂપ છે. અહો ! ભેદજ્ઞાન! અહો સંવર!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com