________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૪ ]
- પ્રવચન રત્નાકર ભાગ-૬
(૩૫નાતિ) सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम्।। १२९ ।।
(અનુષ્ટ્રમ) भावयेनेदविज्ञानमिदमच्छिन्नधारया। तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।।
શ્લોકાર્ધઃ- [gs: સાક્ષાત્ સંવર:] આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર [કિત] ખરેખર [ શુદ્ધ–કાત્મ–તત્ત્વચ ૩૫તન્મા] શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી [ સપૂતે] થાય છે; અને [ 1:] તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ [ભેદ્રવિજ્ઞાનત: ga] ભેદવિજ્ઞાનથી જ થાય છે. [તસ્મા] માટે [ તત્ એવિજ્ઞાનન્] તે ભેદવિજ્ઞાન [બતીવ] અત્યંત [ માવ્યમ્] ભાવવાયોગ્ય છે.
ભાવાર્થ:- જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી આસ્રવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯
હવે ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે:
શ્લોકાર્થઃ- [ રૂમ મે વિજ્ઞાનમ્] આ ભેદવિજ્ઞાન [ જીિન–ધારયા ] અચ્છિન્નધારા થી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) [તાવ ] ત્યાં સુધી [ ભાવ ] ભાવવું [ યાવત] કે જ્યાં સુધી [પI વ્યુત્વા] પરભાવોથી છૂટી [જ્ઞાન] જ્ઞાન [જ્ઞાને] જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ ) [ પ્રતિeતે] ઠરી જાય.
ભાવાર્થ- અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજાં,
જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઇ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩).
ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com