________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૦ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૬
ના, એમ નથી; ધર્મી જીવને કિંચિત્ રાગ આવે છે, પણ એ રાગનો તે કર્તા નથી; કેમકે તેને રાગ કરવાનો અભિપ્રાય નથી. એ તો સ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર ઉધમ કરીને ક્રમશ: રાગનો અભાવ જ કરતો હોય છે.
પ્રશ્ન- દયા પાળવી, વ્રત પાળવા, તપશ્ચરણ કરવું ઇત્યાદિ બધાં શું સત્કાર્ય-સદાચરણ
નહિ?
ઉત્તર- જેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે (સમ્યક્દર્શન-જ્ઞાનચારિત્ર) સત્કાર્ય નામ સત–આચરણ-સદાચરણ છે. આ સિવાય વ્રત, તપ આદિનો રાગ કોઈ સદાચરણ છે નહિ. ધર્મીના (વ્રતાદિને સદાચરણ વ્યવહારથી કહે છે એ બીજી વાત છે).
હજુ મિથ્યાત્વથી પાછો ફરીને પોતાના ચૈતન્યભગવાનનો સ્વીકાર કર્યો નથી તેના વ્રતાદિના રાગમાં તો સદાચરણનો ઉપચાર પણ સંભવિત નથી કેમકે તેને મૂળ સામાયિક આદિ નિરુપચાર ચારિત્ર કયો છે?
જેણે વીતરાગમૂર્તિ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો સ્વીકાર કરીને એનો અનુભવ કર્યો છે તે વીતરાગતાના લાભને પામે છે. સમ્+આય-સામાયિક, સમતાનો-વીતરાગતાનો લાભ થાય તે સામાયિક છે. આત્માના ભાન વિના (સ્વાનુભવ વિના) સાચું સામાયિક હોતું નથી. એ જ પ્રમાણે ભગવાન આનંદના નાથને પોષવો તેનું નામ પોસહ (પ્રૌષધ) છે. રાગનું પોસાણ છોડી, નિર્મળાનંદના નાથને દૃષ્ટિમાં લઈ એમાં જ પુષ્ટ થવું-સ્થિર થવું તે પોસઠું છે. જેમ ચણાને પાણીમાં નાખતાં લે તેમ આનંદના નાથને દૃષ્ટિમાં લઈ તેમાં સ્થિરતા થતાં આત્મા પુષ્ટ થાય તેને પોસહ કહે છે. અજ્ઞાનીને સાચાં સામાયિક અને પોસહ હોતાં નથી.
શું થાય? વાતે વાતે (દરેક વાતમાં) ફેર પડે અર્થાત્ જેને વીતરાગની આવી વાત ન પચે (બેસે) તેને વિરોધ લાગે. પણ બાપુ! માર્ગ તો આ છે. જ્યારે પણ સુખના પંથે જવું હશે ત્યારે માર્ગ તો આ જ છે.
“કૃતિભિઃ' એટલે સુકૃતવાળા પવિત્ર ધર્મી સમ્યગ્દષ્ટિ પુરુષોએ અંદર નિજ ચૈતન્યમય પરમાત્માનો જે આદર કર્યો છે તે કોઈ દિ' છોડવા યોગ્ય નથી. અહા! વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ ઊઠે પણ પોતાની ચૈતન્યમય ચીજ છોડવા યોગ્ય નથી. જે વિકલ્પ આવે તે જાણવા યોગ્ય છે. વળી પ્રતિકૂળતાના ગંજ આવે, શત્રુઓનાં ટોળાં ઘેરી વળે કે દુશ્મનો ડારે તોપણ જેણે આત્મકલ્યાણ કરવું છે અને જન્મ-મરણ રહિત થવું છે એવા પુરુષે સ્વનો આશ્રય
વા યોગ્ય નથી. દુ:ખના દરિયામાં (સંસાર-સમુદ્રમાં) તો ભગવાન! અનાદિથી ડબકી મારી રહ્યો છે. હવે જ્યારે આત્મદષ્ટિ થઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com