SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] | [ ૩૪૭ અનુભવી, આદરી, સત્કારી, સ્વીકારી વા ઉપાદેયપણે ગ્રહણ કરી તેને કર્મબંધન થતું નથી. અહાહા...! નિજ ચૈતન્યવહુના અત્યાગથી કર્મબંધન થતું નથી. અહીં તો ભાઈ ! એક આત્માની જ વાત છે. દુનિયાને રુચે ન રુચે, દુનિયા માને ન માને એની જવાબદારી દુનિયાને છે. અહા ! દુનિયા સ્વતંત્ર છે. તીર્થકરના જીવે પણ પૂર્વ મિથ્યાત્વાદિ અનંત પાપ કર્યા હતાં. એ પણ અનાદિથી એકેન્દ્રિયપણે નિગોદમાં હતા. તેમણે પણ જ્યારે તરવાના ઉપાયને પકડ્યો, પોતાના શુદ્ધ આત્માને ઉપાદેય કર્યો અને એમાં જ કર્યા ત્યારે તર્યા છે. સમજાણું કાંઈ...? સંપ્રદાયમાં તો “મા હણો, માં હણો' એ ભગવાનનો ઉપદેશ છે એમ પ્રરૂપણા કરે છે; પણ પરને હુણી કોણ શકે ? અને પરની દયા પાળી કોણ શકે ? એક પણ પર પદાર્થની અવસ્થાને બીજો કોણ કરી શકે? અહીં તો એમ કહ્યું કે શુદ્ધ આત્માને ગ્રહણ કરી વીતરાગતા પ્રગટ કરવી એ ભગવાનનો ઉપદેશ છે. અહીં તો પૂર્ણાનંદના નાથ ભગવાન આત્માને ઉપાદેય કરી એનો જેને અત્યાગ છે એને કર્મબંધન નથી એમ કહે છે. અરે ! એને સત્ય સાંભળવા મળ્યું ત્યારે પણ એણે ઊંધાઈ જ ઊંધાઈ કરી છે. એમ કે આ તો એકાંત છે; વ્યવહાર-શુભરાગ કરતાં કરતાં જ આત્મા ઉપાદેય થાય. શાસ્ત્રમાં કયાંક લખ્યું હોય કે વ્યવહાર સાધન છે તો તેને ચોંટી પડે પણ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ મર્મ સમજે નહિ. સવારે તો આવ્યું હતું કે વ્રત ને નિયમ એ કાંઈ કાર્યકારી નથી અર્થાત્ એનાથી આત્માનું કાર્ય થાય (આત્માની નિર્મળ પર્યાય પ્રગટ થાય) એમ છે નહિ. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે ભગવાન આત્માનો અત્યાગ તે અબંધ છે અને તેના ત્યાગથી બંધન જ છે. કોઈ કર્મને લઈને આમ છે (બંધન છે) એમ વાત નથી. કર્મના જોરને લઈને ભગવાન આત્માનો ત્યાગ થાય અને કર્મ મંદ પડે તો તેનો અત્યાગ રહે એમ છે નહિ. (કર્મ તો બાહ્ય નિમિત્તમાત્ર છે). અહા! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માને સાંભળવા મહાવિદેહક્ષેત્રમાં એકાવતારી ઇન્દ્રો સ્વર્ગમાંથી આવે છે અને જંગલમાંથી સેંકડો સિંહ, વાઘ અને મોટા મોટા નાગ ચાલ્યા આવે છે. અહાહા...! એ વાણી કેવી હોય? શું આ કરો ને તે કરો-એમ કરવાની કથા ભગવાનની હોય? (ના). ભગવાનની દિવ્ય વાણીમાં તો એમ આવ્યું કે -આત્મા રાગ વિનાની પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવથી ભરેલી ચીજ છે જેમાં એક સમયની પર્યાયનો પણ નાસ્તિભાવ છે. આવી પોતાની ચીજનો જેણે સ્વીકાર કરી આશ્રય કર્યો તેને કર્મબંધન હોતું નથી અને જેણે પોતાની ચીજનો અનાદર કરી ત્યાગ કર્યો બાહ્ય ત્યાગ કરે એને કર્મબંધન ન હોય એમ નહિ અને બાહ્ય ત્યાગ નથી કર્યો Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy