________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
ચન રત્નાકર ભાગ-૬
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ એકલો અમૃતનો પિંડ છે. એની દષ્ટિ થયા વિના અર્થાત્ સ્વાનુભૂતિના આનંદને પ્રાપ્ત થયા વિના અરેરે! એ જગતમાં ઝેરનાં ફળ પામીને રખડશે ! ભાઈ ! કેવળ શુભરાગમય એવાં વ્રત અને તપ તો તે અનંતવાર કર્યા. પણ એમાં કયાં ચૈતન્યનો-અમૃતનો અંશ હતો? એ તો બધા અચેતન ઝેરરૂપ પરિણામ હતા. બાપુ! તારા ઘરમાં (-સ્વરૂપમાં) એ ચીજ ( -શુભાશુભ પરિણામ) કયાં છે ? પ્રભુ! તારુ ઘર (-સ્વરૂપ) તો એકલા પવિત્ર અમૃતથી ભરેલું છે. જ્યારે આ શુભાશુભ પરિણામ બધા અશુચિ છે, ઝેર છે, અચેતન છે. ભાઈ ! તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય અને સુખી જ થવું હોય તો બેય પરિણામને છોડી શુદ્ધાત્માની દૃષ્ટિ કર. ત્યાં તને અવશ્ય સુખ મળશે.
આ રીતે શુભ અને અશુભ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી બન્ને એક જ છે; બેમાં કોઈ ફેર નથી. તેઓ એક હોવાથી કર્મના કારણમાં કોઈ ભેદ નથી; કર્મનું કારણ અજ્ઞાન એક જ છે; માટે કર્મ એક જ છે.
૨. “શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.” જાઓ, જડ કર્મની પ્રકૃતિ ચાહે તો શતાવેદનીય બંધાય કે અશાતાવેદનીય બંધાય, યશકીર્તિ બંધાય કે અપયશકીર્તિ બંધાય ઇત્યાદિ એ બધાય પુદ્ગલપરિણામ હોવાથી કેવળ પુદ્ગલમય હોવાથી એક છે. તે એક હોવાથી કર્મના સ્વભાવમાં પણ ફેર નથી. પુષ્ય ને પાપ, શાતા ને અશાતા-એ બધાય પુદ્ગલના પરિણામ હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી. માટે કર્મ એક જ છે.
૩. “શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે.” શું કહ્યું આ? શુભનું ફળ અને અશુભનું ફળ કેવળ પુદ્ગલમય છે. શુભના ફળથી આ લક્ષ્મી આદિ કે સ્વર્ગાદિ મળે અને અશુભના ફળમાં નરકાદિ મળે એ બધુંય પુદ્ગલમય છે. (એમાં એકેમાંય આત્મા નથી.) પાપના ફળમાં પુદ્ગલ મળે અને પુણ્યના ફળમાંય પુદ્ગલ મળે, માટે તે એક હોવાથી કર્મના અનુભવમાં-ફળમાં ભેદ નથી. એનો સ્વાદ–વેદન દુઃખરૂપ છે. માટે કર્મ એક જ છે.
૪. ““શુભ (–સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી તેઓ અનેક (-જુદાં જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.''
જુઓ, આમાં જરા ફેર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનાં સમ્યક શ્રદ્ધા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com