SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અહા! ભગવાન! તું અનાદિથી કેમ ભૂલ્યો છે? તો કહે છે કે પોતાના અપરાધથી ભૂલ્યો છે. પોતાનું જે શુદ્ધ જ્ઞાતા-દષ્ટાસ્વભાવી તત્ત્વ છે એના પર નજર હોવી જોઈએ એના બદલે રાગ ઉપર તારી નજર છે. આ જડકર્મના ભેખ તો અજીવના છે; અને આ ભાવકર્મ છે તે જીવની પર્યાયનો ભેખ છે. તે મેલ છે, બંધરૂપ છે. અહીં ખાસ તો પુણ્ય-પરિણામને કર્મમળ તરીકે લેવું છે. અશુભ તો કર્મમળ છે જ એ સાધારણ વાત છે. ભાઈ ! વ્રતાદિના શુભભાવ જેને તું ધર્મ માને છે તે કર્મમળ છે, બંધરૂપ છે એમ અહીં કહે છે. અહીં જે એમ કહ્યું કે “કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ' એનો અર્થ જડકર્મ સાથે વ્યાપ્તિ-એમ નથી. ભગવાન આત્મા વ્યાપક અને જડકર્મ વ્યાપ્ય એમ નથી; પણ એનું (અજ્ઞાનદશામાં) વ્યાપ્ય ભાવકર્મ છે. એટલે વ્યાપક આત્મા અને વ્રત, તપ આદિના પરિણામ એનું વ્યાપ્ય કર્મ નામ કાર્ય છે. એમાં (-ભાવકર્મમાં) રોકાવાથી એનું (-આત્માનું) જ્ઞાન-દર્શન એટલે સર્વને જાણવા-દેખવાનું કાર્ય પ્રગટ થતું નથી. આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ-એ બધી બાહ્ય ચીજોને તો આત્મા અડતોય નથી, અનંતકાળમાં કદી અડતો નથી. પણ સદાય અબંધસ્વરૂપ એવો પોતાનો જે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે એનાથી ભ્રષ્ટ થઈ ભગવાન રાગમાં રોકાઈ ગયો એ પોતાનો અપરાધ છે અને એ જ ભાવબંધ છે. હવે કહે છે એવા કર્મમળ વડ લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ, “બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (અજ્ઞાનદશામાં) વર્તે છે.' જુઓ, શું કહ્યું? બંધ-અવસ્થામાં એટલે રાગમાં રોકાવાની દશામાં તે સર્વપ્રકારે સંપૂર્ણ એવા પોતાને એટલે ત્રિકાળી, અનંતગુણનો પિંડ એવા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને-કે જે સર્વને સર્વ પ્રકારે જાણવાના સ્વભાવવાળો છે –તેને નહિ જાણતો થકો અજ્ઞાનભાવે વર્તે છે. અહા! અનંતકાળમાં ભગવાન ! એ દુ:ખી કેમ થયો છે? તો કહે છે –એનો સ્વભાવ તો પરિપૂર્ણ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, પરંતુ પોતે રાગમાં રોકાઈ રહેવાથી પોતાના પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનને દેખતો નથી અને તેથી અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. જુઓ, આ અધ્યાત્મની વાત છે, પણ ન્યાયથી કહેવાય છે ને? કહે છે –દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન છે એ બધો રાગ છે, ચૈતન્યનું સ્વરૂપ નથી. ચૈતન્યસ્વરૂપમાં એ (-રાગ) ક્યાં છે? હુવે પર એવા રાગમાં પોતે રોકાઈ રહ્યો એ એનો અપરાધ છે અને એ અપરાધને લઈને સર્વને જાણવાદેખવાના સ્વભાવવાળા પોતાના Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy