________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬૦
अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।। १६० ।।
स सर्वज्ञानदर्शी कर्मरजसा निजेनावच्छन्नः। संसारसमापन्नो न विजानाति सर्वतः सर्वम् ।। १६० ।।
હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે:
તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મ૨જ-આચ્છાદને, સંસા૨પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦.
ગાથાર્થ:- [સ: ] તે આત્મા [સર્વજ્ઞાનવર્શી] (સ્વભાવથી ) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ [નિનેન ર્મરત્નસા] પોતાના કર્મમળથી [અવચ્છ: ] ખરડાયો-વ્યાસ થયો–થકો[ સંસારસમાપન્ન ] સંસારને વ્યાસ થયેલો તે [ સર્વતઃ] સર્વ પ્રકારે [ સર્વમ્] સર્વને [ન વિજ્ઞાનાતિ] જાણતો નથી.
ટીકા:- જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (–સર્વ પદાર્થોને ) સામાન્યવિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાસ થયું-હોવાથી જ, બંધ–અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (-અજ્ઞાનદશામાં ) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યુંછે.
ભાવાર્થ:- અહીં પણ ‘જ્ઞાન ' શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com