________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૬ ]
[ ૧૩૯
કે-મોક્ષનો માર્ગ તો એકદ્રવ્યસ્વભાવી છે. ૫૨માર્થે ૫૨દ્રવ્યથી આત્માનું ભવન ન થઈ શકે માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી હોવાથી તેના ભવનથી આત્માને મોક્ષનું કારણ થાય છે. ભવન એટલે થવું-પરિણમવું. અહાહા...! જ્ઞાનરૂપે-આનંદરૂપે વીતરાગભાવપણે આત્માનું થવું એ જ મોક્ષનું કારણ છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષનો હેતુ છે. જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મા જ મોક્ષનું કારણ છે; બીજું કાંઈ મોક્ષનું કારણ છે નહિ.
હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છેઃ
* કળશ ૧૦૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
' एकद्रव्यस्वभावत्वात् ' જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી ( –જીવસ્વભાવી ) હોવાથી ‘ જ્ઞાનસ્વભાવેન’ જ્ઞાનના સ્વભાવથી ‘સવા જ્ઞાનસ્ય ભવન વૃત્ત' હંમેશાં જ્ઞાનનું ભવન થાય છે.
શું કહ્યું? આ જાણવું, શ્રદ્ધવું અને ઠરવું-એ એક દ્રવ્યસ્વભાવી એટલે જીવસ્વભાવી માત્ર ચૈતન્યસ્વભાવી છે. અહાહા...! રાગની ક્રિયાથી ભિન્ન પડતાં જે અંતર-પરિણમન થયું તે ચૈતન્યસ્વભાવી હોવાથી તે જ્ઞાનનું કહેતાં આત્માનું પરિણમન છે. શુદ્ધ આત્મદ્રવ્યના સ્વભાવથી શુદ્ધ આત્મદ્રવ્યનું ભવન-પરિણમન થાય છે. એમાં કોઈ પરદ્રવ્યના કે રાગના આશ્રયની
અવલંબનની અપેક્ષા છે જ નહિ. શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં આવે છે કે-નિજ ૫રમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ ૫૨મ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.' મતલબ કે શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ શુદ્ધ ચૈતન્યના ભવનમાત્ર જ છે. હવે કહે છે
-
‘તદ્' માટે ‘તત્ વ મોક્ષહેતુ: ' જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાન એટલે સ્વરૂપને જાણવા-શ્રદ્ધવાના પરિણામ અને સ્વરૂપમાં જ વિશ્રાંતપણે ઠરવાના વીતરાગ પરિણામને પ્રગટ ક૨વા એ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જુઓ, આ એક કળશમાં કેટલું ભર્યું છે! શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિરૂપ વીતરાગી પરિણતિ એ એદ્રવ્યસ્વભાવી છે અને એ જ આત્માનું પરિણમન છે. તેથી મોક્ષનું કારણ છે. રાગની ક્રિયા અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી ત્રણકાળમાં ધર્મ થાય નહિ. લ્યો, આ ૧૦૬ થયો; હવે ૧૦૭; ટીકા છે ને! એના સારરૂપ કળશ કહે છે.
* કળશ ૧૦૭ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘દ્રવ્યાન્તરસ્વભાવત્વાત્' કર્મ અન્યદ્રવ્યસ્વભાવી ( –પુદ્દગલસ્વભાવી ) હોવાથી ‘ ર્મસ્વમાવેન ’ કર્મના સ્વભાવથી ‘ જ્ઞાનસ્ય ભવનં ન હિ વૃત્ત' જ્ઞાનનું ભવન થતું નથી.
.
જુઓ, કર્મ એટલે વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ એ બધો શુભભાવ અન્યદ્રવ્યસ્વભાવી-પુદ્દગલસ્વભાવી છે. હવે આ સાંભળીને લોકો રાડ નાખે છે પણ ભાઈ ! રાગ આત્માનો સ્વભાવ છે જ નહિ. જો રાગ આત્માનો સ્વભાવ હોય તો તે નીકળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com