SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૪ (શાર્દૂનવિદ્રીડિત) इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः परम् । अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।। ४८ ।। શ્લોકાર્થ:- [કૃતિ વં] એ રીતે પુર્વકથિત વિધાનથી, [સસ્કૃતિ] હમણાં જ (તુરત જ) [પરદ્રવ્યાત્] પરદ્રવ્યથી [પાં નિવૃત્તિ વિત્તય્ય] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે ) નિવૃત્તિ કરીને [વિજ્ઞાનઘનસ્વમાવત્ પરમ્ સ્વ અમયાત્ મસ્તિષ્ણુવાન: ] વિજ્ઞાનયનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના ૫૨ નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિયભાવથી સ્થિર કરતો), [ અજ્ઞાનોસ્થિતÍતનાત્દેશાત્] અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા લેશથી [નિવૃત્ત: ] નિવૃત્ત થયેલો, [ સ્વયં જ્ઞાનીભૂત: ] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, [ખાત: સાક્ષી] જગતનો સાક્ષી ( જ્ઞાતાદ્રષ્ટા ), [ પુરાળ: પુનાન્] પુરાણ પુરુષ ( આત્મા ) [ ત: વાસ્તિ] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮. સમયસાર ગાથા ૭૪ : મથાળુ હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ ) કઈ રીતે છે? પ્રભો! જે ક્ષણે જ્ઞાન થયું તે જ ક્ષણે આસ્રવોથી જીવ નિવૃત્ત થાય એમ કઈ રીતે છે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે: * ગાથા ૭૪ : ટીકા ઉ૫૨નું પ્રવચન * ‘વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસવો જીવ સાથે બંધાયેલા છે.' પીપળ, બાવળ ઇત્યાદિ ઘણા વૃક્ષોને લાખ આવે છે. પીપળનું વૃક્ષ અને લાખ વધ્યઘાતક છે. વૃક્ષ વધ્ય એટલે ઘાત થવા લાયક છે અને લાખ ઘાતક એટલે ઘાત કરનાર છે. ઘણાં વર્ષ પહેલાં ભાવનગરમાં ગુજરી બજાર પાસે પીપળનાં ઝાડ હતાં, હારબંધ ઝાડ હતાં. ત્યાં લાખ આવતાં બધાં વૃક્ષોનો ખો થઈ ગયો, એકે ઝાડ ન રહ્યું. એ અહીં કહ્યું છે કે લાખ ઘાતક-હણના૨ છે અને વૃક્ષ વધ્ય-હણાવાયોગ્ય છે. આ રીતે વૃક્ષ અને લાખનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસવો પોતે જીવ નથી. અહાહા...! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ ચૈતન્યનું ઝાડ છે. એની પર્યાયમાં તે હણાવા યોગ્ય છે, વધ્ય છે. પુણ્ય-પાપના ભાવો એનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy