________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૪
कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत्
जीवणिबद्धा एदे अधुव अणिचा तहा असरणा य। दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं।।७४।।
जीवनिबद्धा एते अध्रुवा अनित्यास्तथा अशरणाश्च ।
दुःखानि दुःखफला इति च ज्ञात्वा निवर्तते तेभ्यः।। ७४ ।। હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આગ્નવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળો કઈ રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪.
ગાથાર્થ- [ તે] આ આસવો [ નીવનિવર્ધી: ] જીવની સાથે નિબદ્ધ છે, [ ગધ્રુવ:] અધ્રુવ છે, [ભનિત્ય:] અનિત્ય છે [તથા ૨] તેમ જ [અશRT.] અશરણ છે, [૨] વળી તેઓ [ દુ:વાનિ] દુ:ખરૂપ છે, [ દુ:વના :] દુ:ખ જ જેમનું ફળ છે એવા છે, – [ તિ જ્ઞાત્વા ] એવું જાણીને જ્ઞાની [ તેડુ: ] તેમનાથી [ નિવર્તત] નિવૃત્તિ કરે છે.
ટીકાઃ- વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આગ્નવો જીવ સાથે બંધાયેલા છે; પરંતુ અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્ હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાત્ હુણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આગ્નવો ઘાતક છે અને આત્મા વધ્યું છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આગ્નવો પોતે જીવ નથી.) આગ્નવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આગ્નવો શીતદાહપૂરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દાણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com