________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૩ केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत्
अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तम्हि ठिदो तचितो सव्वे एदे खयं णेमि।। ७३ ।।
अहमेकः खलु शुद्धः निर्ममतः ज्ञानदर्शनसमग्रः।
तस्मिन् स्थितस्तचित्तः सर्वानेतान् क्षयं नयामि।। ७३।। હવે પૂછે છે કે કઈ વિધિથી (–રીતથી) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ
છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. ૭૩. ગાથાર્થ- જ્ઞાની વિચારે છે કેઃ [ 07] નિશ્ચયથી [ગદમ્] હું [ :] એક છું, [ શુદ્ધઃ] શુદ્ધ છું, [ નિર્મમત: ] મમતારહિત છું, [ જ્ઞાનવર્શનમ: ] જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; [તસ્મિન સ્થિત:] તે સ્વભાવમાં રહેતો, [ તચિત્ત: ] તેમાં (–તે ચેતન્ય અનુભવમાં) લીન થતો (હું ) [9તાન] આ [ સર્વાન] ક્રોધાદિક સર્વ આસવોને [ક્ષય] ક્ષય [નયામ] પમાડું
ટીકાઃ- હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિત્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્યઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાના અને અધિકરણસ્વરૂપ ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું; ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com