SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ] પ્રવચન રત્નાકર ભાગ-૪ (માલિની) परपरिणतिमुज्झत् खण्डयनेदवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।। ४७।। કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે. અહીં કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [પરંપરિતિમ્ ૩ ] પરપરિણતિને છોડતું, [ મેવાવાન વન્ડયન્] ભેદનાં કથનોને તોડી પાડતું, [ટ્રમ્ નવમ્ બ્લડુમ્ જ્ઞાનમ્] આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન [૩ન્વે: હેવિતમૂ ] પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, [ નનુ] અહો! [ફેદ ] આવા જ્ઞાનમાં [ ર્તુર્મપ્રવૃતેઃ] (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો [5થમ્ સવાશ:] અવકાશ કેમ હોઈ શકે? [વા] તથા [ પૌત્ન: »ર્મવલ્થ:] પૌદ્ગલિક કર્મબંધ પણ [થે ભવતિ] કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે.). (શેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી અખંડ” એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી “ભેદનાં કથનોને તોડી પાડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી “પપરિણતિને છોડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી અત્યંત પ્રચંડ” કહ્યું છે. ) ભાવાર્થ- કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત્ ન હોય. ૪૭. સમયસાર ગાથા ૭૨ : મથાળું હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? રાગથી ભિન્ન પડતાં જેને આત્માનું જ્ઞાન થયું તેને બંધ અટકી જાય છે એ કેવી રીતે છે? અહાહા! શિષ્ય જિજ્ઞાસાથી પૂછે છે કે જેને આત્માનું જ્ઞાન થયું, શ્રદ્ધાન થયું, એની સ્થિરતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy