________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૨
कथं ज्ञानमात्रादेव बन्धनिरोध इति चेत्
णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च। दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो।।७२।।
ज्ञात्वा आस्रवाणामशुचित्वं च विपरीतभावं च।
दुःखस्य कारणानीति च ततो निवृतिं करोति जीवः।। ७२।। હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ
અશુચિપણું, વિપરીતતા એ આસવોનાં જાણીને, વળી જાણીને દુ:ખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨,
ગાથાર્થઃ- [વાર્] આસવોનું [શુવિત્વે ] અશુચિપણું અને [ વિપરીતભાવ a] વિપરીતપણું [૨] તથા [ દુ:રવચ વારનાનિ તિ] તેઓ દુઃખના કારણ છે એમ [ જ્ઞાત્વા] જાણીને [ નીવડ] જીવ [તત: નિવૃત્તિ] તેમનાથી નિવૃત્તિ [ રોતિ] કરે છે.
ટીકા- જળમાં શેવાળ છે તે મળ છે-મેલ છે; તે શેવાળની માફક આગ્નવો મળપણેમેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (–અપવિત્ર છે) અને ભગવાન આત્મા તો સદાય
અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (–પવિત્ર જ છે; ઉજ્વળ જ છે). આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે-) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (-જ્ઞાતા) છે (–પોતાને અને પરને જાણે છે–) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આગ્નવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે (અર્થાત દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (–તફાવત) દેખીને
જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આસવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com