SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ મુંબઈમાં પ્રશ્ન થયેલો કે-આપ આપની લાકડી માથે ફેરવો છો તો લોકો પૈસાદાર થઈ જાય છે-આ વાત બરાબર છે? ત્યારે કહેલું કે-લાકડી કોઈ ફેરવતું નથી, લાકડી કોઈ ઉપર ફરતી નથી અને લાકડીને લઈને કોઈનું કાંઈ થતું નથી અહાહા...! આ પરમ (તત્ત્વની, ધર્મની ) સત્યની વાત બહાર આવી છે તે સત્સમાગમ કરીને મહિનો બે મહિના ધ્યાનથી સાંભળે ત્યાં એના શુભભાવથી (ઊંચાં ) પુણ્ય બંધાઈ જાય. એ પુણ્યના ફળરૂપે એને બાહ્ય સામગ્રી દેખાય. ભાઈ ! જીવોને જે શુભભાવ થાય તે પણ એના પોતાથી, તથા પુણ્ય બંધાય અને સામગ્રી મળે તે પણ પોતપોતાના કારણે છે. કોઈ કોઈના કારણે નથી તો પછી અમારા કારણે મળે છે કે લાકડીને લઈને મળે છે એ વાત જ કયાં રહે છે? એ વાત બીલકુલ બરાબર નથી. સામગ્રીનું આવવું, ન આવવું એ પુણ્ય-પાપના ઉદયને આધીન છે. હવે કહે છે- આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (તફાવત ) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (૫૨માં ) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે.' જીઓ ! કર્તાકર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે; છતાં તે પ્રવાહપણે-સંતાનપણે અનાદિથી છે માટે ટળી શકે છે. વળી તે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવથી નહિ. માટે તે ચૈતન્યસ્વભાવના જ્ઞાન વડે ટળી શકે છે. હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ–એવી અનાદિ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ છે. તે ભેદજ્ઞાન થતાં જીવ એનાથી નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી એવો બન્નેનો સ્વભાવભેદ અને વસ્તુભેદ જાણીને જ્યાં અંતર્દષ્ટિ સહિત ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. સંવર અધિકારમાં કળશ આવે છે કે “ મેવવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યે હિત જેવના अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।। 27 મતલબ કે જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા છે તે ભેદવજ્ઞાનના અભાવથી બંધાયા છે. જીવને અજ્ઞાન અનાદિનું છે. તે વડે કર્તાકર્મની પ્રવૃત્તિ છે. ભેદવિજ્ઞાન થતાં તે કર્તાકર્મપ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. ‘તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.' આચાર્ય કહે છે કે ક્રોધ અને આત્માનું ભેદવજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટી જાય છે, અને નવું કર્મ પણ બંધાતું નથી. આ પ્રમાણે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ Please inform us of any errors on [email protected]
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy