________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૭ ]
| [ ૨૭૧ ભાઈ ! આ તો અંતરની પરમ સત્યની વાતો છે; આ કોઈ કલ્પના નથી. કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે. તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે. જીવના પરિણામો મિથ્યાત્વાદિ થાય છે તે પોતાથી થાય છે. અને કર્મનો ઉદય જે નિમિત્ત છે તે જડના ભાવ છે તેથી જડ છે, અજીવ છે. જડના ઉદયના પરિણામ જડમાં છે. બે વચ્ચે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. પણ નિમિત્ત (કર્મ) કર્તા છે અને વિકાર એનું કાર્ય છે એમ ત્રણકાળમાં નથી. તેમ જીવનો વિકાર કર્તા અને જડ કર્મનો બંધ એનું કાર્ય છે એમ પણ નથી. ભૈયા ભગવતીદાસના નિમિત્ત-ઉપાદાનના ૪૭ દોહા છે એમાં બધું ઘણું સ્પષ્ટ કર્યું છે.
વિકારની પર્યાય પોતાના પકારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણથી થાય છે, કેમકે કર્તા, કર્મ આદિ શક્તિ દ્રવ્યરૂપ અને ગુણરૂપ છે તો પર્યાયમાં પણ પકારક પરિણમન છે. એક સમયની મિથ્યાત્વની પર્યાયનો કર્તા મિથ્યાત્વ, એનું કર્મ મિથ્યાત્વ, એનું કરણ મિથ્યાત્વ, એનું સંપ્રદાન મિથ્યાત્વ અને એનાં અપાદાન અને અધિકરણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનું કર્તા આદિ જડ કર્મ નથી અને જીવના દ્રવ્ય-ગુણ પણ નથી; કેમકે જડ કર્મ પર છે અને દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે. આમાં નિમિત્તનો અને નિશ્ચય-વ્યવહારનો ખુલાસો આવી જાય છે.
તેવી રીતે પોતાના દ્રવ્યનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મની પર્યાય પ્રગટ થઈ તે પણ નિરપેક્ષ છે. તેમાં વ્યવહાર અને નિમિત્તની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં આ વાત આવે છે. અહા ! પરમ વીતરાગદેવ સર્વશના શાસનમાં આચાર્યોએ ગજબ સ્પષ્ટ કર્યું છે. ત્યાં કહ્યું છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનઅનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ છે.” અહાહા..! શુદ્ધ રત્નત્રયાત્મક મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે એટલે કે નિમિત્તની અને વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના મોક્ષમાર્ગની પર્યાય પોતાના પત્કારકથી પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાનની એક સમયની જે પરિણતિ પ્રગટી તે પોતાના પકારક પરિણમનથી પ્રગટી છે; દ્રવ્ય-ગુણથી પણ નહિ. પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ છે બસ એટલી વાત છે; પણ દ્રવ્ય-ગુણથી પર્યાય પ્રગટી છે એમ નથી.
મોટા મહંત નામ ધરાવનારા પણ અત્યારે આ વિષયમાં ગોટા ઊભા કરે છે. અરેરે! ભગવાનનો વિરવું પડયો ! કેવળજ્ઞાન રહ્યું નહિ અને સાથે ચાર જ્ઞાનને ધારણ કરનારા ગણધરના પણ વિરહ પડયા! આવી સ્થિતિમાં શાસ્ત્રના ઊંધા અર્થ કરે ત્યાં કોને કહીએ? અરે! ભગવાનની હાજરી નહિ અને પોતાની મતિ-કલ્પનાથી ફાવે તેમ અર્થ કરીને ભારે ગડબડ ઊભી કરી છે. જેમ પિતાના મરણ પછી મિલ્કતની વહેંચણીમાં છોકરાઓ અંદર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com