________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ આવો માર્ગ શ્રી સીમંધર ભગવાને ધર્મસભામાં કહ્યો છે અને તે જ માર્ગ શ્રી કુંદકુંદાચાર્ય અહીં લાવ્યા છે. અજ્ઞાની માને કે ‘પર ગર્દ દુર્વે' પર દ્રવ્યને હું કરું છું. પણ પદ્રવ્યને કોણ કરે? પરદ્રવ્યનો અર્થ અહીં પરદ્રવ્યની પર્યાય કરવો. અહાહા...! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાને હું કરું છું એમ જે માને છે તે અહંકારી, અજ્ઞાની, મિથ્યાદષ્ટિ છે. હું બીજાઓને સુંદર વક્તવ્ય-વ્યાખ્યાન વડે સમજાવી દઉં એમ અજ્ઞાની માને છે. બીજાને કોણ સમજાવી દે? અરે ભાઈ ! ભાષા તો જડ છે. તે જડના
ણે થાય છે. જીભ, હોઠ આદિ હલ તે પોતાના કારણે હુલે છે, તે આત્માના વિકલ્પને કારણે હુલે છે એમ નથી. ભાષા જે શબ્દનો વિકાર છે તે તો પોતાના કારણે પોતે ભાષારૂપ થાય છે. અને સમજનાર પણ પોતે પોતાની યોગ્યતાથી પોતાના કારણે સમજે છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે. આ મોટાં કારખાનાં ચાલે તે સમયે તે તે પુગલોની જે પર્યાય થવા યોગ્ય હોય તે પુગલોથી થાય છે. ત્યાં બીજો કોઈ (ઉદ્યોગપતિ આદિ) એમ કહે કે મારાથી કારખાનાં ચાલે છે તો તે પરદ્રવ્યના કર્તાપણાના અહંકારરસથી ભરેલો અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે.
અહા! જગતમાં મોહી અજ્ઞાની જીવોને પરદ્રવ્યના કર્તાપણાનો મહા અહંકાર છે અને તે અજ્ઞાન છે. આવું અજ્ઞાન તેમને અનાદિ સંસારથી ચાલ્યું આવે છે અને તે દુર્નિવાર છે, ટાળવું મહી કઠણ છે. આ અજ્ઞાન મહા પુરુષાર્થ વડે જ ટાળી શકાય એમ છે.
હવે કહે છે-“દો' અહો ! “ભૂતાર્થપરિપ્રદેT' પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી ‘યરિ' જો ‘તત્ પવાર વિનય વ્રનેત’ તે એક વાર પણ નાશ પામે ‘તત્વ' તો ‘જ્ઞાન નર્ચ માત્મ:' જ્ઞાનઘન આત્માને “ભૂય:' ફરીથી ‘વર્ધનમ્ વિરું ભવેત' બંધન કેમ થાય ? જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે ? ન જાય. અને તે જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય.
હું પરદ્રવ્યની ક્રિયાને કરું છું એવું મોહી જીવોને અનાદિ સંસારથી અજ્ઞાન ચાલ્યું આવે છે. અનાદિ સંસાર એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવરૂપ પરાવર્તન જીવને અનાદિથી છે. શુભાશુભભાવનું પરાવર્તન એને અનાદિથી ચાલ્યું આવે છે. પણ તે અજ્ઞાન છે. આ અજ્ઞાન અત્યંત દુર્નિવાર છે. રાગને ઘટાડી મંદરાગપણે વા શુભરાગ રૂપે પરિણમવું એ તો સહેલી વાત છે. એવા શભભાવ એણે અનંતવાર કર્યા છે. પણ સમ્યગ્દર્શન પામવા માટે શુભરાગ કાંઈ વસ્તુ નથી. ભાઈ ! આ તો ધર્મની પહેલી સીડીની વાત છે. અહીં કહે છે કે ‘તાર્થપરિપ્રદે'–અહો! પરમાર્થનનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? કદી ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com