SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૮૫ ] [ ર૨૧ પ્રશ્ન:- શાતાના ઉદયથી લક્ષ્મી મળે છે, તો નિમિત્તથી કાર્ય થયું કે નહિ? ઉત્તર- ભાઈ ! એ તો નિમિત્તનું કથન છે. પૈસા તો એના કારણે આવે છે, એમાં શાતાવેદનીય કર્મ નિમિત્ત છે. લક્ષ્મી આવે, શરીર નિરોગી રહે ઈત્યાદિ તે તે પર્યાયનું પોતાનું કાર્ય છે, નિમિત્તથી તે કાર્ય થયું છે એમ નથી. પૂજનની જયમાલામાં આવે છે ને કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.” કર્મ બિચારાં જડ છે; કર્મને લઈને જીવને વિકાર થતો નથી. પોતાની ભૂલને લઈને જીવમાં વિકાર સ્વતંત્ર પોતાથી થાય છે. તો- કર્મ રાજા, કર્મ રંક; કર્મ વાળ્યો આડો અંક. –એમ બોલે છે એનો અર્થ શું? ભાઈ ! એ બધાં નિમિત્તની મુખ્યતાથી કથન છે. રાજા કે રંકની પોતાની પર્યાય પોતાથી થાય છે; કર્મથી નહિ. જુઓ, રામચંદ્રજી વનવાસ ગયા. ત્યાં સીતાજીનું હરણ થયું. ત્યારે સીતાજીને શોધવા નીકળ્યા. પત્થર અને પહાડને રામચંદ્રજી પૂછે છે:- સીતાજીને કયાંય જોયાં? આ પોતાની પર્યાયનો દોષ છે, કર્મને લઈને નહિ. અને પછી વિકલ્પ છૂટી ગયો તે કર્મના ઉદયના અભાવથી નહિ પણ પોતે નિર્વિકલ્પસ્વરૂપમાં સ્થિર થતાં વિકલ્પ છૂટી ગયો રાવણ સીતાજીનું હરણ કરીને વિમાનમાં લઈ જાય છે ત્યારે રસ્તામાં સીતાજી પોતાનું ઝાંઝર ફેંકી દે છે. તે ઝાંઝર લાવીને લક્ષ્મણજીને બતાવીને પૂછયું-શું આ ઝાંઝર સીતાજીનું છે? ત્યારે લક્ષ્મણે કહ્યું-હું સીતામાતાને પગે લાગવા જતો ત્યારે નીચી નજરે પગમાં આ ઝાંઝર જોયેલું. ઊંચી નજર કરીને સીતાજી સામે કદી મેં જોયું નથી. અહા ! જુઓ, આ સજ્જનતા અને નૈતિકતા! લક્ષ્મણ ત્રણ ખંડના ધણી વાસુદેવ હતા. તેઓ સજ્જનતા અને નૈતિકતાની મૂર્તિ હતા. લક્ષ્મણજી જંગલમાં રામચંદ્રજીની અનેક પ્રકારે સેવા કરતા. રામચંદ્રજી બળભદ્ર હતા. લક્ષ્મણજી તેમની સેવા કરતા એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. સેવાનો વિકલ્પ આવ્યો માટે બહારની ક્રિયા થઈ એમ નથી. તથાપિ કોઈ પોતાની ક્રિયા અને પરની ક્રિયા-એમ બે ક્રિયા આત્મા કરે એવું માને તો તે બ્રિક્રિયાવાદી મિથ્યાષ્ટિ છે અને તેથી તે સર્વજ્ઞના મતની બહાર છે. કર્મ જ્ઞાન રોકી દીધું અને કર્મનો કર્તા અને ભોક્તા જીવ છે એવું માનનાર મિથ્યાષ્ટિ છે અને જિનવરની આજ્ઞાથી બહાર છે. અહીં તો આત્માની વાત કરી છે. પંચાસ્તિકાયમાં કહ્યું છે કે-એક રજકણ પોતાની ક્રિયા કરે અને બીજા રજકણની પણ ક્રિયા કરે એમ ત્રણકાળમાં બનતું નથી. આ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy