________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬) ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પણ [પુનિવર્મનિમિત્ત] પુદ્ગલકર્મના નિમિત્તથી [ પરિણમત] પરિણમે છે. [નીવડ] જીવ [ ર્માગાન] કર્મના ગુણોને [૨ ગ િવરાતિ] કરતો નથી [તથા ઈવ] તેમ જ [+ર્મ] કર્મ [ નીવITI] જીવના ગુણોને કરતું નથી; [1] પરંતુ [બન્યોSન્યનિમિત્તેન] પરસ્પર નિમિત્તથી [૩યો: uિ] બન્નેના [ પરિમં] પરિણામ [ નાનીદિ] જાણો. [ તેના કારણેના 1] આ કારણે [માત્મા] આત્મા [સ્વવોન] પોતાના જ [ભાવેન] ભાવથી [ર્તા] કર્તા (કહેવામાં આવે) છે. [] પરંતુ [પુનિવર્મ9તાનાં ] પુદ્ગલકર્મથી કરવામાં આવેલા [ સર્વમાવાનામ્ ] સર્વ ભાવોનો [ ર્તા ન] કર્તા નથી.
ટીકા- “જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે”એમ જીવના પરિણામને અને પુગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદગલપરિણામો સાથે અને પુગલકર્મને જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે; તે કારણે (અર્થાત્ તેથી), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે.
ભાવાર્થ- જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી.
સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ : મથાળું જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય નિમિત્તપણું છે તોપણ કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે. અહીં અજ્ઞાનીની વાત છે. આગળની ગાથાઓમાં ભેદજ્ઞાનીની વાત હતી. અહીં જીવના પરિણામ કહેતાં વિકારી પરિણામની વાત છે. પહેલાંની ગાથાઓમાં જીવના પરિણામ એટલે નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી.
પહેલાં “પોતાના પરિણામને જાણતો આત્મા’-એમ કહેલું એ જીવના વિતરાગી નિર્મળ પરિણામની વાત હતી; અને પુદ્ગલ પરના પરિણામને જાણતું નથી”—એમ કહેલું ત્યાં પણ પરના પરિણામ એટલે જીવના નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી. આ વાત ગાથા ૭૫ થી ૭૯ સુધીમાં આવી ગઇ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com