SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૭૯ ] [ ૧૫૩ રાગાદિભાવ દ્રવ્યાતંર છે, અન્યદ્રવ્ય છે. તેનો સહારો નથી. ભગવાન આત્માને પોતાના સ્વભાવનો જ સહારો છે. પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થયેલા મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા અને પર્યાય તે એનું કર્મ છે. રાગ અને વ્યવહાર છે તેને જ્ઞાન જાણે છે પણ એટલા સંબંધથી જ્ઞાન કર્તા અને રાગ એનું કાર્ય તથા રાગ કર્તા અને જ્ઞાન રાગનું કર્મ એમ પરસ્પર કર્તાકર્મપણું છે નહિ. શેયજ્ઞાયકસંબંધ હોવા છતાં રાગ અને આત્માને પરસ્પર કર્તાકર્મસંબંધ નથી. રાગને અને આત્માની નિર્મળ પર્યાયને અત્યંત ભેદ છે. નિયમસારની ગાથા દરમાં કહ્યું છે કે આવો ભેદ-અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે અને તેથી ચારિત્ર થાય છે. રાગભાવથી ચારિત્ર થાય છે એમ નથી કહ્યું પણ રાગના ભેદ–અભ્યાસથી અંતરમાં ચારિત્ર થાય છે એમ કહ્યું છે. પહેલાં સમ્યગ્દર્શનના કાળમાં ભેદ પડ્યો છે; પછી વિશેષ ભેદના અભ્યાસથી અંતરમાં ઠરે છે ત્યારે ચારિત્ર થાય છે. રાગથી ચારિત્ર થાય છે એમ નથી. આ પ્રમાણે રાગને અને સ્વપરને જાણનાર પ્રભુ આત્માને અત્યંત ભેદ છે. રાગ અને જ્ઞાનની પર્યાયને પરસ્પર અત્યંત ભેદ હોવાથી તેમને વ્યાયવ્યાપકભાવનો અભાવ છે. રાગ છે તે પુદ્ગલ છે અને જ્ઞાનની નિર્મળ દશા છે તે આત્મા છે. બન્ને ભિન્ન છે. તેથી તેમને વ્યાપ્યવ્યાપકપણું નથી, તેથી કર્તાકર્મપણું પણ નથી. હવે કહે છે-કયો. વર્તુર્મભ્રમતિ:' જીવ-પુદ્ગલને કર્તાકર્મપણે છે એવી ભ્રમબુદ્ધિ “જ્ઞાનાત્' અજ્ઞાનને લીધે ‘તાવત્ ભાતિ' ત્યાંસુધી ભાસે છે કે “યાવત્' જ્યાંસુધી ‘વિજ્ઞાનાર્વિ:' વિજ્ઞાનજ્યોતિ ‘ઝવવા માં' કકચની જેમ નિર્દય રીતે “સદ્ય: મેમ્ ઉત્પાદ્ય' જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઊપજાવીને ‘ન વાસ્તિ' પ્રકાશિત થતી નથી. રાગથી ભિન્ન કરીને જ્ઞાનનો અનુભવ કરે ત્યારે તેને પરનું કર્તાકર્મપણું છૂટી જાય છે. શબ્દો તો થોડા છે પણ ભાવ ઘણા ઊચાં અને ગંભીર ભરી દીધા છે. દષ્ટિ પર્યાય ઉપરથી ફેરવી લઈ દ્રવ્ય ઉપર લઈ જાય તેને વિજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાન ભલે થોડું હોય, પણ સ્વ-પરનો ભેદ પાડી સ્વાનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ ભિન્ન છે અને રાગ ભિન્ન છે એવો આત્મ-અનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. આ વિજ્ઞાનજ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે એટલે ઉગ્રપણે જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઊપજાવીને પ્રગટ થાય છે. પાણીના દળમાં જેમ તેલનું ટીપુ ભિન્ન થઈ જાય છે તેમ સ્વાનુભવ કરતાં રાગની ચીકાશ અને આત્માની વીતરાગતા બન્ને ભિન્ન થઈ જાય છે. અહો ! શું કળશ અને શું ટીકા! આચાર્યદવે ગજબ કામ કર્યું છે. દયા, દાન, વ્રત આદિના ભાવથી આત્મા ભિન્ન છે. માટે વ્રતના જે વિકલ્પ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy