________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ દ્રવ્યના જે રાગના પરિણામ, હરખ-શોકના પરિણામ-તે જીવના શુદ્ધ જ્ઞાતા-દખાના પરિણામને ગ્રતા નથી, પહોંચતા નથી, તે-રૂપે પરિણમતા નથી. ગજબ વાત છે!
જીવના પરિણામ (જ્ઞાતા-દષ્ટાના ભાવ) જે જીવનું પ્રાપ્ય છે તેને પુદ્ગલ પ્રાપ્ત કરતું નથી. પોતાના પરિણામ જે રાગાદિ ભાવ અને હરખ-શોકના પરિણામ તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે; જાણતું નથી છતાં પુદ્ગલ પોતાના પરિણામને પ્રાપ્ત કરે છે, પરંતુ પરદ્રવ્યના-જીવના પરિણામને પ્રાપ્ત કરતું નથી. જો તે (પુગલ) જાણે તો તે ચેતનદ્રવ્ય થઈ જાય. પણ એમ નથી. પાંચ અજીવ દ્રવ્યો જાણતા નથી છતાં તે કાળે તેના જે પરિણામ થાય છે તેનું પ્રાપ્ય કર્મ છે. જડની-પુદ્ગલની જે અવસ્થા થાય તે તેનું પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે. જે અવસ્થા થવાના કાળે થઈ તેને પરમાણુએ પ્રાપ્ત કરી છે, પરમાણુ તેને પહોંચી વળ્યું છે, આત્માનું જ્ઞાન ત્યાં પહોંચી વળ્યું નથી. તેમ પુદગલદ્રવ્ય એટલે રાગાદિ વિકારના પરિણામ (શુભભાવ) પોતે અંતર્થાપક થઈને જીવના શુદ્ધ વીતરાગી પરિણામને પહોંચતા નથી, તે-રૂપે પરિણમતા કે ઊપજતા નથી. બાપુ! આવો વીતરાગનો પંથ એક જ હિતરૂપ અને આરાધ્ય છે. શ્રીમદે કહ્યું છે
ને
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી,
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય હાશે.' આવો ભગવાનનો માર્ગ છે. તેનું શરણ લે. તે વિના બીજું કાંઈ શરણ નથી.
ભાઈ ! પુગલના રાગપરિણામ, પુદ્ગલકર્મનું ફળ એવા હરખશોકના પરિણામ એને પુદ્ગલ જાણતું નથી. એવું પુદ્ગલદ્રવ્ય પરદ્રવ્યના એટલે આત્માના જે જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ પરિણામ તેમાં અંતર્થાપક થઈને તેને ગ્રહતું નથી, તે રૂપે પરિણમતું નથી, તે-રૂપે ઊપજતું નથી. “પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ, તેનામાં (તે પુદ્ગલ દ્રવ્ય) પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે.”
કર્તાનું જે કાર્ય-રાગાદિ અને હરખશોકના પરિણામ તેમાં પુદ્ગલ અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તે રૂપે પરિણમે છે અને તે–રૂપે ઊપજે છે, પરંતુ આત્માના નિર્મળ વીતરાગી પરિણામને તે ગ્રતું નથી, પહોંચતું નથી.
હવે કહે છે માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ
નથી.'
જુઓ, આ નિષ્કર્ષ કાઢયો કે પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ એટલે જીવના જ્ઞાતા-દાના જે શુદ્ધ વીતરાગી પરિણામ તેને પુદ્ગલદ્રવ્ય કરતું નથી માટે પુગલદ્રવ્યને જીવની સાથે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com