________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૪૩
(સધરા)
ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ।। ५० ।।
ભાવાર્થ:- કોઈ એમ જાણે કે પુદ્દગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્દગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પરિણમાવી શક્યું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. ૫૨માર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની તો [ફમાં સ્વપરપરિગતિ] પોતાની અને પરની પરિણતિને [જ્ઞાનન્ અપિ] જાણતો પ્રવર્તે છે [7] અને [પુાત: અવિ અખાનન્] પુદ્દગલદ્રવ્ય પોતાની અને ૫૨ની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [નિત્યમ્ અત્યન્ત–મેવાત્] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બન્ને ભિન્ન દ્રવ્યો હોવાથી ), [અન્ત: ] તે બન્ને પરસ્પર અંતરંગમાં [વ્યાતૃવ્યાપ્યત્વમ્] વ્યાખવ્યાપકભાવને [યિતુમ્ અસૌ] પામવા અસમર્થ છે. [અનયો: Íર્મમ્રમમતિ: ] જીવ-પુદ્દગલને ર્ડાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ [અજ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [તાવત્ મતિ] ત્યાં સુધી ભાસે છે (થાય છે) કે [યાવત્] જ્યાં સુધી [વિજ્ઞાનાર્વિ: ] ( ભેદજ્ઞાન કરનારી ) વિજ્ઞાનજ્યોતિ [વવત્ અયં] કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે ) [સઘ: મેવમ્ ઉત્પાદ્ય] જીવ-પુદ્દગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [ન વાસ્તિ] પ્રકાશિત થતી
નથી.
ભાવાર્થ:- ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
સમયસાર ગાથા ૭૯: મથાળું
હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને, પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્દગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી ?
અહીં જીવના પરિણામ એટલે વીતરાગી નિર્મળ પરિણામ, પોતાના પરિણામ એટલે રાગાદિ પરિણામ અને પોતાના પરિણામનું ફળ એટલે સુખદુઃખના પરિણામ-આ બધાને નહિ જાણતું એવું જે પુદ્દગલદ્રવ્ય તેને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? જુઓ, જીવને સ્વભાવની દૃષ્ટિ થતાં જે સ્વભાવનું નિર્મળ પરિણમન થયું તેને પુદ્દગલ જાણતું નથી. તેમ પુદ્દગલપરિણામ જે રાગાદિ ભાવ તેને પુદ્ગલ જાણતું નથી. તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com