SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પાપના ભાવનું ફળ જે હરખશોકના પરિણામ એ પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ; સ્વદ્રવ્યસ્વરૂપ ભગવાન આત્માનું એ કાર્ય નહિ. પુદ્ગલ તેમાં આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, પહોંચે છે. તે કાળનું તે પુગલનું વ્યાપ્ય છે, આત્માનું નહિ. પુદ્ગલકર્મ તે-રૂપે પરિણમતું, તે-રૂપે ઊપજતું થયું તે સુખદુ:ખાદિ પુદ્ગલકર્મફળને કરે છે. હવે કહે છે-“આમ પુદ્ગલ દ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિમધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી.” જુઓ, પુદગલકર્મફળને જ્ઞાની જાણે છે એ વ્યવહાર કહ્યો. તે સંબંધીનું જ્ઞાન થાય છે તેથી કર્મફળને જાણે છે એમ કહ્યું. ખરેખર તો જ્ઞાની પોતાને જાણે છે. જેવી સુખદુ:ખની કલ્પના થઈ એવું જ જ્ઞાન અહીં જાણે છે તેથી એનું જ્ઞાન છે એમ કહ્યું પણ જ્ઞાન તો આત્માનું છે. જેવો હરખશોકનો ભાવ થાય તેવું તે પ્રકારનું અહીં જ્ઞાન થાય છે. તેથી કહ્યું કે જ્ઞાની પુદ્ગલકર્મફળને જાણતો, જેમ માટી ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને ગ્રહે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને તેને ગ્રહતો નથી. હરખશોકના પરિણામને ધર્મી જીવ ગ્રતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. પુદ્ગલકર્મના ઉદયમાં લક્ષ જતાં જે સુખદુ:ખના પરિણામ થાય એ પુદ્ગલના પરિણામ છે; ભગવાન આત્માના એ ભાવ છે જ નહિ. અહીં તો જ્ઞાનીની વ્યાખ્યા છે ને? ધર્મી જીવની દષ્ટિ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવાથી, નિર્વિકારી દશા એનું પ્રાપ્ય, વિકાર્ય, નિર્વત્થ કર્મ છે, પણ વિકાર એનું કર્મ નથી. જ્ઞાની વિકારનો કર્તા નથી. અહાહા...! માટી ઘડામાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, કુંભાર નહિ. ઘડાની આદિમાં માટી છે, કુંભાર તેની આદિમાં નથી. માટી ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને ઘડાને ગ્રહે છે, પણ કુંભાર ઘડામાં પ્રસરે છે એમ નથી. ઘડાની પર્યાય તે માટીનું પ્રાપ્ય છે, ધ્રુવ છે. તે કાળે ઘડાની પર્યાય ધ્રુવ છે એટલે ચોક્કસ છે અને માટી તેને ગ્રહે છે. પૂર્વની પર્યાય જે પિંડરૂપ હતી તેનો વ્યય થઈને ઘડાની પર્યાય થઈ તે માટીનું વિકાર્ય છે, કુંભારનું નહિ. કુંભારની પર્યાયમાં કુંભાર હોય. કુંભાર પોતાની પર્યાયમાં વ્યાપીને પોતાની પર્યાયનો કર્તા થાય, પણ ઘડાનો નહિ. પરની પર્યાયમાં કુંભારનું વ્યાપ્યવ્યાપકપણે કયાં છે? નથી જ) તેમ જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિમધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. નિર્મળ જ્ઞાન અને આનંદ એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy